________________
માતાપિતા કરતાં પણ વિશેષ સંપર્ક દાદા-દાદી વગેરે વડીલો સાથે રહે છે. ત્યાં આનંદપ્રમોદના અનેક અવસર સુલભ બને છે. તે અવસરોમાં આભિજાત્ય સંસ્કૃતિનો પ્રભાવ પણ જોવા મળે છે. સામૂહિકતામાં સુંદર કામ કરવાથી સૌનું પ્રોત્સાહન મળે છે, એ જ રીતે ખોટું કામ કરવાથી વારંવાર આંગળી પણ ચીંધવામાં આવે છે. કોઈ વ્યક્તિ પોતે ભૂલ કરે કે ન કરે પરંતુ બીજાઓ તરફ થતો વ્યવહાર તેને સજાગ કરી દે છે. સંયુક્ત પરિવારમાં સેવા અને સહયોગની ભાવનાનો પણ વિકાસ થાય છે. વિભક્ત પરિવારોમાં માતા-પિતાનું અધિક સામીપ્ય બાળકોને માનસિક રીતે તેમનાથી દૂર કરી દે છે. સંયુક્ત પરિવારમાં બાળકો અને મોટાંઓની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું અંતર રહે છે. તેથી તેમને માનસિક રીતે વિશેષ નજીક લાવે છે. આ બધાના સારરૂપે એમ માની શકાય કે પરિવારોના ખંડને વ્યક્તિનાં ચિંતન તથા વ્યવહારને જ નહીં, સામાજિક મૂલ્ય-માપદંડોને પણ ભારે પ્રભાવિત કયાં છે. વિભાજનનાં કારણો
પારિવારિક તેમજ સામાજિક વિભાજનને કારણે વધનારી સમસ્યાઓથી ગભરાઈને લોકો પૂછે છે કે પરિવારો કેમ તૂટે છે. વર્તમાન સંજોગોમાં આ પ્રશ્ન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સારી વાત તો એ છે કે આ વિષયમાં યુવાનો અને વડીલોની પેઢીના વિચારો પ્રાપ્ત કરવામાં આવે. જે લોકોએ વિભાજનની મુશ્કેલીઓ ભોગવી છે તેઓ પોતાના અનુભવો કહે અને તે લોકો પણ પોતાનું ચિંતન વ્યક્ત કરે કે જેઓ અનિચ્છાએ પણ એવું જીવન જીવવા માટે વિવશ બન્યાં છે. અનુભવો અને વિચારોની આ યાત્રામાં કોઈક વળાંક તો એવો આવી શકે છે કે જ્યાં આશાનો ઝાંખો દીવો એક વખત ફરીથી પ્રજ્જવલિત થઈ ઊઠે.
મારા ખ્યાલ પ્રમાણે પારિવારિક, સામાજિક અથવા કોઈપણ સંગઠનના વિભાજન માટે મુખ્ય ત્રણ કારણો હોય છે?
- સક્ષમ નેતૃત્વનો અભાવ - યોગ્ય વ્યવસ્થાનો અભાવ - પારસ્પરિક સામંજસ્યનો અભાવ અક્ષમ નેતા કોઈપણ સંગઠનને લાંબા સમય સુધી ચલાવી
હeeીરાકસંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર હમણા ૭:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org