________________
મૃત્યુ પછી વિયોગિની વિધવા અસહાય બનતી નહોતી. બાળકોનો સંબંધ સગાં ભાઈબહેનો પૂરતો જ સીમિત નહોતો. પરિવારના તમામ સભ્યોમાં વિશિષ્ટ પ્રકારનો તાલમેળ રહેતો હતો. તેથી સુખ-દુઃખ જેવા સંવેદનશીલ પ્રસંગોમાં પણ પરિવારના પ્રત્યેક સભ્યની સંયુક્ત ભાગીદારી રહેતી હતી.
સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર પ્રથમ આક્રમણ એ દિવસે થયું જે દિવસે અનેક લોકોના સહવાસમાં પ્રદૂષણની કલ્પના કરવામાં આવી. આ વાત કોઈ ભારતીય દિમાગની ઉપજ હોત તો કદાચ તે તરફ આટલું બધું ધ્યાન જાત નહીં. પરંતુ આવો અવાજ પશ્ચિમના વાયુમંડળમાં ઉદ્દભવ્યો અને ત્યાંની સીમાઓ પાર કરીને તે અવાજ ભારત સુધી પહોંચ્યો. આ જ કારણે તેનું મહત્ત્વ વિશેષ થઈ ગયું. છેલ્લા બે ત્રણ દશકાઓમાં મોટે ભાગે પ્રત્યેક ભારતીયની એવી માન્યતા બની ગઈ છે કે મોટાં પરિવારો અવ્યવસ્થા પેદા કરે છે. જેટલા ભાઈઓ તેટલાં ઘરો અથવા જેટલી વહુઓ તેટલાં રસોડાં, આ પ્રકારની માન્યતાના આધારે બે કે તેથી વધુ ભાઈઓનું એકસાથે રહેવું એ આશ્ચર્યનો વિષય બની ગયો. સંયુક્ત પરિવારના લાભો
ઘણા લોકોના એકસાથે રહેવાથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવનાનો અસ્વીકાર કરી શકાય તેમ નથી. પરંતુ થોડીક અસુવિધાથી બચવા માટે મોટાં હિતોનું બલિદાન આપવાનું કઈ રીતે ઉચિત ગણાય ? તાત્કાલિક સુવિધા-દુવિધા કરતાં વધારે મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તો ભાવિ પેઢીના વ્યક્તિત્વ તેમજ ચારિત્રનો છે. મોટાં પરિવારોમાં ઉછે૨ પામતાં બાળકોનો દૃષ્ટિકોણ વ્યાપક હોય છે. તેઓ પોતાનાં વડીલોનાં લાડ પ્યાર પામે છે અને પોતાના કરતાં નાનાંઓને તે વહેંચે પણ છે. તેમનામાં બીજાઓને સહન કરવાની મનોવૃત્તિનો વિકાસ થાય છે. સંવેગો ઉપર નિયંત્રણની ક્ષમતા મોટાં પરિવારોમાં જેટલી કેળવાય છે તેટલી વિભક્ત (સંયુક્ત) પરિવારોમાં કેળવાતી નથી. કેટલાક મનોવૈજ્ઞાનિકોનું મંતવ્ય એવું છે કે વિભક્ત પરિવારોનાં બાળકો ક્રોધી, આગ્રહી અને વિધ્વંસકારી વિશેષ બને છે. તેમનામાં અસુવિધાની ભાવના સ્વાભાવિક જોવા મળે છે. પરિણામે અનેક પ્રકારની કુંઠિતતાઓ પેદા થાય છે.
સંયુક્ત પરિવારમાં સુરક્ષાનું આશ્વાસન ટકી રહે છે. ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org