________________
છે અને નથી પણ હોઈ શકતો. કારણ કે કેટલાક સંબંધો અલ્પકાળના હોય છે તો કેટલાક સંબંધો ચોક્કસ કામ કરવાની સમયમર્યાદા પૂરતા જ હોય છે. લોહીનો સંબંધ સહજ અને અનૌપચારિક હોય છે તેથી સામાન્ય રીતે પરિવારના પરિઘમાં એ જ સંબંધથી જોડાયેલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યાં પરિવાર હોય છે ત્યાં સંગંઠનની અપેક્ષા રહે છે. સંગઠનના અભાવે પરિવારના સભ્યો ન તો કોઈ મોટું કામ કરી શકે છે અને ન તો કોઈ મોટી સમસ્યાનો ઉકેલ પામી શકે
છે.
આર્થિક વિપન્નતાના દિવસોમાં એક શેઠે પોતાના સમગ્ર પરિવારને જંગલમાં જવાનો આદેશ આપ્યો. પરિવારના તમામ સભ્યો જંગલમાં પહોંચીને એક વૃક્ષની નીચે બેઠા. શેઠે તેમને એક દોરડું વણવાનું કહ્યું. નાના મોટા તમામ સભ્યો કામે લાગી ગયા. વૃક્ષની ઉપર કોઈ એક યક્ષનો નિવાસ હતો. તે સંદિગ્ધ બન્યો. તેણે દોરડાં વણવાનું કારણ પૂછ્યું. શેઠે કહ્યું, “અમે તને બાંધી દઈશું.’ યક્ષનો સંદેહ વિશ્વાસમાં પરિવર્તન પામ્યો. તેણે શેઠને ઘણું બધું ધન આપીને સંભવિત બંધનથી છૂટકારો મેળવ્યો. જો શેઠનો પરિવાર સંગઠિત ન હોત તો તેણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત.
સંયુક્ત પરિવારો ઉપર હુમલો
એક સમય એવો હતો કે જ્યારે પરિવાર નામની સંસ્થા સ્વાભાવિક રૂપે ચાલતી હતી. તેના માટે ન તો ક્યાંય શિક્ષણ-પ્રશિક્ષણની વ્યવસ્થા હતી અને ન તો કોઈ પરિસંવાદોનું આયોજન થતું હતું. પરિવારને સંચાલિત ક૨વાનું શિક્ષણ વારસામાં મળતું હતું. ત્રણેક દશકા પૂર્વે ભારતીય પરિવારોમાં સંયુક્ત જીવનશૈલીને ગૌરવભર્યું સ્થાન મળેલું હતું. એક એક પરિવારમાં ત્રીસ-ચાલીસ અથવા તેના કરતાં પણ વધારે સભ્યો પણ રહેતા હતા. કેટલાંક પિરવારોમાં આ આંકડો લગભગ સો સુધી પણ પહોંચી જતો હતો. તે પરિવારોમાં આવકજાવકનો હિસાબ સામૂહિક રીતે રહેતો હતો. જમીન જાયદાદ, મકાન, સંપત્તિ વગેરે ઉપ૨ સામૂહિક સ્વામિત્વ રહેતું હતું. પરિવારનો કોઈ સભ્ય બીમાર થઈ જાય, કોઈકની નોકરી છૂટી જાય અથવા તો અન્ય કોઈ અણધારી ઘટના ઘટે તો સંબંધિત વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારનો બોજ રહેતો નહીં. પતિના
સંયુક્ત પરિવારની સંસ્કૃતિ ઉપર આક્રમણ
Fe
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org