________________
ત્રીજો કોણ તેની રાષ્ટ્રીય ચેતનાને ઝંકૃત કરે છે. ચોથો કોણ તેને વિશ્વાત્મા સાથે સાંકળે છે. જો માનવી પોતાના સંબંધોને યથાર્થ પરિપ્રેક્ષમાં સમજે અને પૂરી સમજદારી સહિત નિર્વાહ કરે તો તે ઘણું બધું પામી શકે છે.
અદ્વૈતની સમસ્યા
જો માનવી એકલો જ હોત તો તેની સામે કોઈ મુશ્કેલી ન હોત. એકલા હોવાનો અર્થ છે અદ્વૈત થઈ જવું. જ્યાં દ્વૈત ન હોય ત્યાં પ્રેમ પણ કોની સાથે થાય અને ઝઘડો પણ કોની સાથે થાય ? અદ્વૈતની સ્થિતિમાં ન કોઈ પોતાનું હોય કે ન કોઈ પારકું. જ્યાં બે છે જ નહિ, ત્યાં કોણ નાનું હોય અને કોણ મોટું ? સંગ્રહ, લૂંટફાટ, ચોરી વગેરે મનોવૃત્તિઓ દ્વૈતની સ્થિતિમાં જ ઉછેર પામે છે. માનવી જો એકલો જ હોય તો કોઈ પણ પ્રકારની સમસ્યાના ઉદ્ભવ માટે સંભાવના રહે નહિ. આ ચિંતનના આધારે એમ માની શકાય કે દ્વૈત હોવું એ જ સૌથી મોટી સમસ્યા છે.
દ્વૈતમાં સમસ્યાઓની સંભાવના જોઈને કોઈ માણસ એમ વિચારી શકે છે કે તે પોતે એકલો જ રહેશે. પરંતુ એકલા રહેવાનું પણ તેના માટે શક્ય નથી. એકલાપણું માનવીને તોડી નાખે છે. માનવી તો શું બ્રહ્મા પણ એકલા રહે તો ખુશ ન રહી શકે. સ એકાકી ન રેમે’ - એકલાપણામાં બ્રહ્માનું મન લાગતું નથી, આ પૌરાણિક કિંવદન્તી સંબંધોની સાર્થકતાને પ્રકાશમાં લાવે છે.
-
સમાધાનની શોધ શા માટે છૂટી ગઈ ?
એક કરતાં બે અથવા વધારે થવાથી સમસ્યાઓ ઉદ્દભવે છે. આ આશંકા કરીને માનવી એકલો રહી શકતો નથી કારણ કે તે પ્રત્યેક સમસ્યાનું સમાધાન શોધવાનું જાણે છે. જો તે સમાધાન ન શોધી શકે તો તેને મળેલી શક્તિઓનો પછી ઉપયોગ જ શો રહ્યો ? માનવી વિચારતો રહે, સમજતો રહે અને પોતાનો માર્ગ પોતે જ મોકળો કરતો રહે તો કોઈપણ સમસ્યા તેના માટે અવરોધ પેદા કરી શકશે નહીં. મુશ્કેલી ત્યાં જ હોય છે જ્યાં માનવી ન પોતાને સમજે છે, ન તો સંબંધોને સમજે છે અને ના તો સંબંધો થકી ઉત્પન્ન થનારી સમસ્યાઓનું સમાધાન શોધે છે.
પશુજગત ઘણું મોટું છે. વનસ્પતિજગત તેનાથી પણ મોટું છે.
સંબંધોનો સાગર વિવેકનો સેતુ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org