________________
તે રુણ બને છે. રુણાવસ્થા ક્યારેય કામ્ય હોઈ શકતી નથી. એક વ્યક્તિ બીમાર થાય છે તો સમગ્ર પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે. કોઈ ઔદ્યોગિક સંસ્થા બીમાર પડે છે તો તેનાથી સમગ્ર વ્યવસાયજગત પ્રભાવિત થાય છે. એ જ રીતે સમાજ અને રાષ્ટ્રની રુણતા સમગ્ર માનવજાતિને પ્રભાવિત કરે છે.
આજે સમાજ અને રાષ્ટ્રને અસ્વસ્થ બનાવનારા રોગોની યાદી બનાવવામાં આવે તો તે પ્રલંબ બની શકે તેમ છે. મુખ્ય મુખ્ય મુદ્દાઓનું સંકલન કરવામાં આવે તો પણ આ જોખમની ગંભીરતાનો અનુભવ થઈ શકે તેમ છે. હત્યા, બળાત્કાર, ચોરી, ધાડ, અપહરણ, આતંકવાદ. યુદ્ધોન્માદ, જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, રંગભેદ, આર્થિક અશુચિતા, માદક અને નશીલા પદાર્થો, પ્રદૂષણ, ચૂંટણીના ભ્રષ્ટાચાર, ચારિત્રહનન વગેરે ન જાણે કેટકેટલાં જંતુઓ છે કે જે માનવ મસ્તિષ્કને વિકૃત કરી રહ્યાં છે ! આ વિકૃતિ માનવીને ક્યાં લઈ જઈને મૂકશે? જો રસાતાળથી પણ નીચે કોઈ જગ્યા હશે તો ત્યાં સુધી જવામાં તેને કોઈ અવરોધ નહીં નડે. જે દિવસે આ વિષાણુઓ (જંતુઓ)નો નાશ કરવામાં આવશે, એ દિવસે માનવસંસ્કૃતિના ઇતિહાસમાં નવો સૂર્યોદય થશે.
અવિશ્વાસ, અસ્થિરતા અને અનાસ્થાના ઘેરા થતા અંધારા સાથે લડવા માટે “અણુવ્રત પાક્ષિક’ એક નાનકડો દીવો બનીને ઊભું છે. તેની શક્તિ મર્યાદિત છે, છતાં તે એક એક ડગલે માર્ગને પ્રકાશથી ભરી શકે છે. અણુ કદમાં ખૂબ સૂક્ષ્મ હોય છે, પરંતુ તેની શક્તિ અસીમ હોય છે. અણુવ્રતનો કાર્યક્રમ ખૂબ નાનો છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર વ્યાપક છે. અપરાધમુક્તિની દિશામાં તેનો સમુચિત ઉપયોગ થઈ શકે તો નિરાશામાં આશાનો સંચાર થઈ શકે તેમ છે.
જલારાવાર વાળા લાયમાલ અપરાધી મનોવૃત્તિનું શુદ્ધિકરણ કveણે
ઉટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org