________________
રાષ્ટ્રપતિ ભવન સુધી તેનો પ્રભાવ છે. એક ભિખારીથી માંડીને મોટા મઠાધીશ સુધી સૌ તેના દાસ છે. કેટલીક વિરલ વ્યક્તિઓ જ એવી હશે કે જે સત્તા અને સંપદા કરતાં વધારે મહત્ત્વ ચારિત્રને આપતી હોય. ચારિત્ર માટે ઊંડી આસ્થા રાખનારા અને તેને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવનાર વ્યક્તિ જ આદર્શ હોઈ શકે છે.
એક સમય એવો હતો કે જ્યારે એમ કહેવાતું હતું કે રાજેન્દ્ર બાબુને જુઓ, રાધાકૃષ્ણને જુઓ, પુરુષોત્તમદાસ ટંડનને જુઓ, આચાર્ય વિનોબાને જુઓ, અમુક-અમુકને જુઓ. પરંતુ આજે આપણી સામે એવો આદર્શ પુરુષ કોણ છે ? શું આદર્શ પુરુષોનો એટલો બધો અભાવ થઈ ગયો છે કે તેમની શોધ કરવા છતાં બે-ચાર નામ પણ ન મળે ? જો આવી સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહેશે તો સમગ્ર માનવજાત માટે આદર્શ માપદંડનો અભાવ થઈ જશે.
પ્રતિસ્રોતગામિતા
ભૌતિકતાનો વધતો જતો પ્રભાવ અને ચારિત્રનિષ્ઠાનો અભાવ આ બંને દ્વારા ઉત્પન્ન સમસ્યાઓનું સમાધાન મહાવીરવાણીમાંથી મળી શકે તેમ છે. ભગવાન મહાવીરે કહ્યું, ડિસોયમેવ અપ્પા દાયવો હોઉકામેણું-' જે વ્યક્તિએ કંઈક બનવું છે, તેણે સામાપ્રવાહમાં તરવું પડશે. અનુસ્રોતમાં તણાવાનું તો સરળ છે પરંતુ તેમાં લક્ષ્ય સુધી પહોંચવાની પ્રતિબદ્ધતા નથી. પ્રતિસ્રોતગામિતાની ક્ષમતા જેનામાં હોય છે, તે ચોક્કસ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે.
અપરાધી મનોવૃત્તિને બદલવી તે પ્રતિસ્રોતમાં વહેવા સમાન છે. કેટલાક લોકો એવું સાહસ નહીં કરે તો અપરાધના સામાજીકરણ કે રાજનીતિકરણની પ્રક્રિયા અટકશે નહિ. માનવીની ચેતનાને અપરાધમુક્તિની દિશા બક્ષવી તે અણુવ્રતનું લક્ષ્ય છે. આ અભિયાનને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો અમારો સંકલ્પ છે. આવા લક્ષ્યથી પ્રેરિત કેટલીક અન્ય વ્યક્તિઓ અને સંગઠનો પણ હોઈ શકે છે. એક ઉદ્દેશપૂર્વક કામ કરનાર તમામ શક્તિઓ એકસાથે જોડાઈને બીડું ઝડપે તો અપરાધના ઘેરા થતા જતા પ્રવાહને નિયંત્રિત કરી શકાય તેમ છે. પરંતુ તે માટે પોતાની જાતને જોવાનું તથા કષ્ટ સહન કરવા માટે તૈયાર કરવાનું જરૂરી છે.
રુગ્ણ સમાજને સ્વસ્થતાનું આશ્વાસન
જે સમાજ અને રાષ્ટ્રમાં અપરાધીઓની સંખ્યા મોટી હોય છે,
નવું દર્શન
Jain Educationa International
નવો ર
સામાન
For Personal and Private Use Only
www.jainelibrary.org