________________
આ દુર્દશા ન થઈ હોત.” માનવી કેવળ પોતાની તાકાતથી જ કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકતો નથી. પ્રોત્સાહન અને સંરક્ષણ તેની સારી કે ખોટી બંને પ્રકારની વૃત્તિઓને વિકસિત કરે છે. સામાન્ય પ્રોત્સાહનથી પણ વ્યક્તિના જીવનની દિશા બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં રાજનૈતિક સંરક્ષણ મેળવનાર વ્યક્તિ કોઈ દુસ્સાહસ કરી બેસે તો એમાં આશ્ચર્ય શું છે? આ જ કારણે આજની રાજનીતિ પણ ભ્રષ્ટાચારનો પયયિ બની રહી છે. લોકતાંત્રિક શાસનપ્રણાલીનો એક આયનો છે. સંસદ. સરકારી ગોટાળા અને અવ્યવસ્થાઓની તપાસ માટે સમિતિ તો બને છે. તેના રિપોર્ટ્સમાં સત્તારૂઢ લોકો ઉપર આરોપ-પ્રત્યારોપ થવા એ કોઈ નવી વાત નથી. પરંતુ પ્રસિદ્ધ અપરાધીઓના દુરાચારોની પોલ ખોલવાથી જે મોટા મોટા અપરાધીઓના ચહેરા ખુલ્લા પડે છે તેને કારણે વિશ્વાસનાં મૂળ હચમચી જાય છે. શું આ સ્થિતિ ભારત જેવા અધ્યાત્મપ્રધાન દેશ માટે શોભાસ્પદ છે? આપણી ચિંતાનો વિષય
એમ કહેવામાં આવે છે કે ભારત અધ્યાત્મપ્રધાન દેશ છે. હા, ક્યારેક ભૂતકાળમાં આ દેશમાં આધ્યાત્મિક મૂલ્યોની પ્રધાનતા હશે તેના આધારે આમ કહેવાતું હશે. આજે તે મૂલ્યોની પ્રધાનતા નથી એમ હું કહેવા માગતો નથી. મારા મત મુજબ કોઈ પણ રાષ્ટ્ર સર્વથા ધર્મપ્રધાન કે ધર્મહીન ક્યારે બને છે ? પ્રત્યેક યુગ ઉપર ભલાઈ અને બૂરાઈનાં પ્રતિબિંબ જોઈ શકાય છે. આજે તમામ લોકો ખરાબ છે એવી વાત નથી. પ્રાચીન કાળમાં બધા જ લોકો સારા જ હતા એમ કહેવું પણ સાચું નથી. સારાપણું અને ખરાબપણું દરેક યુગમાં સાથે સાથે રહે છે. ક્યારેક એક પલ્લું નમું છે તો ક્યારેક બીજું પલ્લું નમે છે. આજે આપણી ચિંતાનો વિષય બૂરાઈનું પલ્લું નમી રહ્યું છે તે છે.
બૂરાઈનું પલ્લું ભારે થયું તેનું સૌથી મોટું કારણ છે લોકપ્રવાહ. જે યુગમાં લોકો ભૌતિકવાદ અને સુવિધાવાદ તરફ દોડે છે તે યુગમાં આધ્યાત્મિકતાનો ક્ષય થાય છે. મૂલ્યહીનતાના સંસ્કાર વ્યક્તિને સત્તા અને સંપદા તરફ ધકેલે છે. સત્તા અને સંપદાનો જેટલો ઉત્કર્ષ થાય છે, તેટલી ભોગ અને સુવિધાની લાલસા પ્રબળ થાય છે. તેનો સંબંધ કોઈ વ્યક્તિવિશેષ સાથે નથી. અ થી હ સુધી દરેક પ્રકારના લોકો ઉપર તેનો પ્રભાવ છે. સામાન્ય ઝૂંપડીથી માંડીને
wwwારા અપરાધી મનોવૃત્તિનું શુદ્ધિકરણ કરાશેદવાર રક્ષા કકકકક્સ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org