________________
.
માનવી કર્મશીલ પ્રાણી છે. તે કર્મ કરતો રહે છે. કર્મનાં બે
સ્વરૂપ છે. ઃ સત્ અને અસત્ બીજા શબ્દોમાં તેમને પાપ અને પુણ્ય કહેવામાં આવે છે. માનવીય મૂલ્યોના સંદર્ભમાં તેમને નૈતિક અને અનૈતિક તત્ત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. જે કર્મ વ્યક્તિને બાંધે નહીં, ક્યાંય મૂંઝવે નહીં, છળકપટ માટે વિવશ ન કરે તે કર્મ પુણ્ય અથવા નૈતિક મૂલ્ય છે. જે કર્મ વ્યક્તિને ભીતરમાં જતાં રોકે છે, મૂંઝવે છે, અપરાધની અંધારી ગલીઓમાં ધકેલે છે તે પાપ કે અનૈતિક કર્મ છે. ધાર્મિક સિદ્ધાંત તરીકે પ્રતિપાદિત પુણ્ય કે પાપને માનો કે ન માનો, અપરાધને પાપ માનવામાં તો કોઈને કોઈ મુશ્કેલી પડતી નથી. આ કારણે અપરાધી વ્યક્તિને ક્યારેય કોઈ પણ પ્રકારની સદ્ભાવના પ્રાપ્ત થતી નથી.
છે.
અપરાધી મનોવૃત્તિનું શુદ્ધીકરણ શક્ય છે
સામાન્ય રીતે નીતિ તરીકે એમ કહેવામાં આવે છે કે પાપની ઘૃણા કરો પાપીની નહીં. અપરાધની ઘૃણા કરો અપરાધીની નહીં. પરંતુ જોવા એમ મળે છે કે કોઈ વ્યક્તિ વારંવાર અપરાધ કરે છે, અપરાધી તરીકે તે કુખ્યાત થઈ જાય છે. પછી અપરાધ અને અપરાધી એક જ બની જાય છે. એક દૃષ્ટિએ તે યોગ્ય પણ છે. કારણ કે અપરાધને પોતાની સત્તા ક્યાં હોય છે ? અસત્, અનૈતિક અથવા સમાજવિરોધી, રાષ્ટ્રવિરોધી, કર્મ કોઈ કરે છે ત્યારે તે અપરાધ બને
Jain Educationa International
અપરાધ શા માટે થાય છે
અપરાધને ક્યારેય સામાજિક સ્વીકૃતિ મળી નથી. છતાં પ્રત્યેક યુગમાં અપરાધ થતા રહે છે. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે વ્યક્તિ અપરાધ
નવું દર્શન તો સમાજની
For Personal and Private Use Only
www.jainelibrary.org