SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રય-વિક્રય અને સામાજિક કુરિવાજોથી તે દૂર રહે છે. વ્યસનમુક્ત જીવન અને પર્યાવરણની સમસ્યા પ્રત્યે સાવધાની રાખીને તે સંયમને જ જીવન માને છે. સંયમ જીવન છે અને અસંયમ મૃત્યુ છે. આ દર્શનની પૃષ્ઠભૂમિ ઉપર અણુવ્રતે એક નારો આપ્યો - ‘સંયમ જ જીવન છે.’ સંયમનો ઉપદેશ આત્માનુશાસનની ભૂમિકા ઉપર જ ફળદાયી. નિવડી શકે. આ દૃષ્ટિએ અણુવ્રતનો નારો છે- “નિજ ૫૨ શાસન, પછી જ અનુશાસન’. જાતિ અને સંપ્રદાયની દીવાલો મનુષ્યને વિભાજિત કરે છે. આવી દીવાલો પારદર્શક બને, માનવી માનવીની નજીક આવે. એ ધ્યેયને માટે અણુવ્રતે નારો આપ્યો- પહેલાં ઈન્સાન ઈન્સાન, પછી જ તે હિંદુ કે મુસલમાન.' વિશ્વમાનવ સાથે સંબંધ સ્થાપવા માટે અને વસુધૈવ કુટુંબકનો બોધપાઠ શિખવવા માટે અણુવ્રતનો નારો છે આપણે સૌ એક છીએ.’ સમસ્યાઓ વધતી જાય છે. તેમનાં નવાં નવાં સ્વરૂપો સામે આવે છે. તેમનું સમાધાન ત્યાં સુધી નહિ મળે જ્યાં સુધી યુગપ્રવાહને બદલવામાં નહિ આવે. તેથી અણુવ્રતે નારો આપ્યો બદલાય યુગની ધારા, અણુવ્રતો દ્વારા’. - વિજ્ઞાન અને ધર્મ અલગ અલગ રહે તો બંને અધૂરાં છે. તે દિવસ માનવતાના ઇતિહાસનો નવો દિવસ હશે કે જ્યારે ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં પૂરક બનીને કામ કરશે. તે દિવસે અણુવ્રતની નિષ્ઠા ફળદાયી બનશે અને માનવીને સાચું જીવન જીવવાનું પ્રશિક્ષણ મળી રહેશે. Jain Educationa International અણુવ્રતની દાર્શનિક પૃષ્ઠભૂમિ ૫૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy