________________
નાનો.“વ્રત એટલે નિયમ. નાનાં નાનાં નિયમનોની આચારસંહિતાને અણુવ્રત નામ મળ્યું. આ કોઈ જાતિ, સંપ્રદાય, દેશ, વેશ કે ભાષાથી બંધાયેલું નથી. તે માનવીય આચારસંહિતા છે. માનવધર્મ અને માનવજીવનની ન્યૂનતમ મર્યાદા છે.
આજે સમગ્ર જગત બારુદના ઢગલા ઉપર ઊભેલું છે. હિંસા અને આતંકની દહેશત છે. અર્થ અને સત્તાની અંધાધૂંધી છે. નૈતિકતા, પ્રામાણિકતા, સંયમ, સદાચાર વગેરે માનવીય મૂલ્યો ગૌણ થઈ રહ્યાં છે. આ પ્રવાહને જો રોકવામાં નહીં આવે તો કલ્પના પણ થઈ શકતી નથી કે માનવજાતિનું શું થશે. ચારે તરફ નિરાશાનું ચિત્ર છવાઈ રહ્યું છે. આવા સમયમાં જ આશાનું કિરણ હોય તો તે એક માત્ર અણુવ્રત છે. અણુવ્રત કોઈ એવો આદર્શ નથી કે જેને ચલાવવાનું મુશ્કેલ લાગે. તે એક સુંદર જીવનની રૂપરેખા છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર જીવનમાં તેને ઉતારી શકાય છે. તે એક એવી રૂપરેખા છે કે જે સુખ, શાંતિ અને સંતુલનસહિત જીવવાનું વાતાવરણ આપે છે. પ્રત્યેક માનવી સુખ-શાંતિનો ઇચ્છુક છે, પરંતુ તે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવતો નથી. વ્રતોના પાલન દ્વારા જીવનની શૈલી બદલાય છે. આ પરિવર્તનમાં જ સુખ-શાંતિની સંભાવના જગાડી શકાય છે.
આજનો યુગ ભારે વિષમ છે. આવી વિષમતાથી ભરેલી પરિસ્થિતિઓ વચ્ચે શું અણુવ્રતની રૂપરેખામાં જીવનને ગોઠવી શકાશે ખરું ? આ પ્રશ્નનો જવાબ છે- પ્રેક્ષા ધ્યાન. જેન આગમોના આધારે શોધવામાં આવેલી અને પ્રયોગ દ્વારા અનુભવવામાં આવેલી પ્રવિધિ એટલે પ્રેક્ષાધ્યાન. તેનો અભ્યાસ કરવાથી વ્યક્તિત્વનું રૂપાંતરણ થાય છે. તે સંજોગોમાં અણુવ્રત જીવનની સહજ શૈલી બની શકે છે.
અણુવ્રત શું છે ? તે કોઈ બંધન નથી. કોઈ હાઉ નથી. તે એક એવી ચેતના છે કે જ્યાં હિંસા અને ક્રૂરતા અશક્ય બની જાય છે. આ ચેતનાને વિકસિત કરનાર વ્યક્તિ ન તો કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા કરે છે, ન આક્રમણ કરે છે. ન તોડફોડવાળી પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. જાતિવાદ અને સંપ્રદાયવાદથી તે દૂર રહે છે. અસ્પૃશ્યતાને તે પાપ સમજે છે. અર્થને તે પોતાના જીવનનું સાધ્ય નહિ માત્ર સાધન સમજે છે. તેથી આર્થિક પવિત્રતા પ્રત્યે તે જાગરૂક રહે છે. મતના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org