________________
પોતપોતાના વ્યવસાયમાં. એમ પણ કહી શકાય કે તેમને પૈસા કમાવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જ્યાં સુધી માનવીય મૂલ્યોનું પ્રશિક્ષણ નહીં મળે ત્યાં સુધી સમસ્યા ઉકેલાશે નહીં. આજે મૂલ્યપરક શિક્ષણની વાત પણ ચાલી રહી છે, પરંતુ તેની સાથે પ્રાયોગિક પાસું ન હોવાને કારણે તે રૂપાંતરણમાં સફળ થઈ શકતું નથી. અણુવ્રત અને જીવનવિજ્ઞાન દ્વારા અમે આ ક્ષેત્રમાં કંઈક કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં જ્યાં કામ થયું છે ત્યાં થોડીક સંભાવનાઓ વધી છે. નામ આ રહે કે તે, એ માટે મારો કોઈ આગ્રહ નથી. જરૂર તો છે લોકોને પ્રશિક્ષિત કરવાની. નહિતર સમય હાથમાંથી સરકી જશે અને જગતના આટલા મોટા લોકશાહી દેશમાં જે કાંઈ થવું જોઈએ તે થઈ શકશે નહીં.
લોકસભા અને વિધાનસભાની કેટલીક ચૂંટણીઓનાં પડઘમ સંભળાઈ રહ્યાં છે. આવા સમયે લોકતંત્રના પ્રશિક્ષણની વાત આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી લાગશે. કારણ કે દીર્ઘકાલીન યોજના. વગર આ કામ થઈ જ ન શકે. આવા વિચાર સાથે હું અસહમત નથી, પરંતુ તાત્કાલિક રૂપે કશું જ ન કરવું એમાં વળી શું ઔચિત્ય છે?
ભારતીય લોકતંત્ર ઉપર અવારનવાર સંકટનાં વાદળો ઘેરાતાં રહ્યાં છે. તાજેતરમાં જ થયેલા હવાલાકાંડે તો દેશના દિગ્ગજ નેતાઓને આરોપોના ભરડામાં લઈ લીધા છે. શું આ ઓછું પ્રશિક્ષિણ છે ? સ્થૂળ રૂપે પણ આવી ઘટનાઓથી બચવાનો પ્રયત્ન થાય તો સૂક્ષ્મ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. સારાં વ્યક્તિત્વોની તંગી નથી
કેટલાક લોકો એમ વિચારે છે કે કોઈ પણ ઉમેદવારને મત આપવો જોઈએ નહીં. તેમની દષ્ટિમાં કોઈપણ ઉમેદવાર નિષ્કલંક નથી. સઘળા ચોર છે. કોઈ મોટો ચોર છે તો કોઈ નાનો ચોર છે. આ વિચાર સાથે હું સહમત નથી. દેશમાં સારી વ્યક્તિઓ નથી એમ કહેવું સાચું નથી. સારી વ્યક્તિઓ અનેક છે. શક્ય છે કે તેઓ અજાણ હોય. તેઓ સૌની સામે આવતા નથી. શક્ય છે કે તેઓ નિસ્પૃહ છે. દેશની રાજનીતિમાં તેઓ રસ લેતા નથી. શક્ય છે કે તેઓ ઉદાસીન છે. કોઈપણ પ્રપંચમાં ફસાવા તે ઈચ્છતા નથી. શક્ય છે કે તેઓ ભયભીત છે. ભયને કારણે તેઓ બોલી શકતા નથી. તેથી તમામ લોકોને એક જ ત્રાજવે તોલવાનું વાજબી નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org