SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વવિદ્યાલયો તથા મહાવિદ્યાલયોની તો વાત જ જવા દો. તેને માટે વિદ્યાલયોમાં પણ સંઘર્ષ શરૂ થઈ જાય છે ! આ સંજોગોમાંથી બચવાનો સાર્થક અને સફળ ઉપાય છે - લોકતંત્રનું સમુચિત પ્રશિક્ષણ. આ પ્રશિક્ષણનાં કેટલાંક બિંદુઓ નીચે મુજબ હોઈ શકે છેલોક શું છે? તેનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તંત્ર શું છે ? ભારતની સામાજિક અને સાંસ્કૃતિક રચના અનુસાર તંત્રને કેવું સ્વરૂપ આપવું જોઈએ ? મત (વોટ) શું છે? તેનું મહત્વ શું છે? મત મેળવવાનો અધિકારી કોણ છે ? તેની અહંતાઓ કેવી હોવી જોઈએ? મત આપવાનો અધિકરી કોણ છે ? ચૂંટણીની પ્રક્રિયા શું છે અને તે માટે પ્રચાર-પ્રસારની મર્યાદાઓ શી હોવી જોઈએ? આ ચૂંટણીના પરિણામને જય-પરાજયની ભાવનાથી દૂર રહીને સહજ રૂપે કેવી રીતે સ્વીકારવામાં આવે ? ચૂંટણીમાં બહુમતી મેળવનારા ઉમેદવારોની દેશ અને પોતાના વિસ્તારના લોકો પ્રત્યેની શી જવાબદારી છે ? આ જ પ્રમાણે કેટલાંક અન્ય બિંદુઓ પણ હોઈ શકે છે કે જે ચૂંટણી-પ્રક્રિયાને ભય, પ્રલોભન, હિંસા અન્યાય વગેરે દુષ્પવૃત્તિઓથી મુક્ત કરીને સાચા અર્થમાં લોકતંત્રને પ્રભાવી બનાવી શકે. અત્યાર સુધી લોક-પ્રશિક્ષણનો ઉપક્રમ શરૂ થયો ન હોવાને કારણે સમગ્ર દેશને દુષ્પરિણામો ભોગવવાં પડ્યાં છે. “ભૂલ્યા ત્યાંથી ફરી ગણો' અથવા “જાગ્યા ત્યારથી સવારનો બોધપાઠ લઈને આ દિશામાં કોઈ સફળ પ્રયત્ન કરવામાં આવે તો આગામી પેઢીઓને તૈયાર કરી શકાય તેમ છે. આગ લાગ્યા પછી કૂવો ખોદવો શિક્ષણના માધ્યમ વડે લોકપ્રશિક્ષણની વકીલાત કરનારાઓ કહી શકે છે કે પ્રશિક્ષણના અભાવે ડોક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનીયર વગેરે કેવી રીતે બન્યા હોત ? આ સંદર્ભમાં સાપેક્ષ દષ્ટિકોણથી વિચાર કરવાની અપેક્ષા છે. તે લોકો પ્રશિક્ષિત હોય છે. પરંતુ જાણકારી મતષ્ઠો આપવો કેવી રીતે આપવોwwારા સાકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy