________________
તરસ હતી, પરંતુ પાણી વ્યવસ્થા નહોતી
લોકતાંત્રિક શાસનપ્રણાલીને સ્વીકારવાની માનસિક સજ્જતા પછી જ ભારત આઝાદ બન્યો આ વાતને કદાચ કોઈ ન પણ સ્વીકારે કારણ કે તે સમય ગુલામીની બેડીઓમાં તરફડવાનો સમય હતો. પ્રત્યેક વ્યક્તિનું માનસ ખુલ્લા આકાશમાં ઉડ્ડયન કરવા માટે આતુર હતું. તે દિવસો પણ મેં જોયા છે. બાળપણમાં એક કસબામાં રહેવા છતાં દેશભક્તિથી છલોછશ્વ ગીતો સાંભળ્યાં હતાં. કિશોરોના મનમાં પણ ગુલામીની પીડા હતી. પરંતુ તેને તૈયારી (સજ્જતા) કહી શકાય નહીં. તે એક અભીપ્સા હતી. દેશને સ્વતંત્ર કરાવવાની ભાવનાનો વેગ હતો. લોકતંત્ર માટેની તૈયારી એટલે લોકપ્રશિક્ષણ. શું ક્યારેય ભારતીય લોકોને લોકતંત્રનો અર્થ સમજાવવામાં આવ્યો છે ખરો ? શું ક્યારેય પ્રજાને તેનું વિધિવત્ પ્રશિક્ષિણ આપવામાં આવ્યું છે ખરું ? લોકતાંત્રિક વ્યવસ્થામાં પ્રજાની શી જવાબદારી છે તેનું તેને ક્યારેય ભાન કરાવવામાં આવ્યું છે ખરું ? જવાબદારીના જ્ઞાનની સાથે જવાબદારીના નિવહિની પ્રેરણા જગાડવામાં આવી છે ખરી ? આ તમામ પ્રશ્નોના ઉત્તર નકારાત્મક હોય તો એમ માનવું જોઈએ કે સ્વતંત્રતાની તરસ તો ઊંડી હતી, પરંતુ પાણી પીવાની કોઈ વ્યવસ્થા નહોતી. વ્યવસ્થાના અભાવે લોકતંત્રની દુર્દશા થાય તો એમાં કશું આશ્ચર્ય નથી. લક્ષદિરના આંદો
લોકતંત્રનું પ્રાણતત્ત્વ છે લોકપ્રશિક્ષણ. તે ખૂબ પહેલાં થવું જોઈતું હતું. પચાસ વર્ષથી વધુ સમય સુધી તે ન થઈ શક્યું હોય તો તેમાં દોષ કોનો? તે માટે પ્રજાને દોષિત કહી નહીં શકાય. કારણ કે ભીડને કોઈ વાદ નથી હોતો. રાષ્ટ્રના સંચાલક લોકો નીતિ-નિધરિણ કરે છે અને તેને અમલમાં મૂકે છે. કોઈ પણ વાદના પ્રવર્તનની પૂર્વે તેનો શિક્ષણમાં પ્રવેશ થવો આવશ્યક છે. દેશના કરોડો વિદ્યાર્થીઓને લોકતંત્રનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હોત તો આજે ઘેર ઘેર લોકતંત્રની સચોટ વ્યાખ્યા કરનારા અને તે મુજબ જીવન જીવનારા લોકો જોવા મળતા હોત.
આજે વિદ્યાર્થીઓએ લોકતંત્રને જે સ્વરૂપે ઓળખ્યું છે તે માત્ર વોટ મેળવવાના સાધન તરીકે ઓળખ્યું છે. જેમ તેમ કરીને વોટ લેવો અને આપવો- એ જ વિદ્યાર્થીઓના શિક્ષણનું એક અંગ બની રહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org