________________
િમત કોને આપવો ? patanકેવી રીતે શા આપવો ?
પ્રત્યેક યુગનો વર્તમાન સત્યને શૂળી પર ચડાવે છે અને ભવિષ્ય તેની આરતી ઉતારે છે. રાજનીતિનું એક સત્ય છે. લોકતંત્ર. ભારતીય લોકતાંત્રિક શાસનપ્રણાલીનો ઇતિહાસ ઝાઝો જૂનો નથી. બ્રિટીશ શાસનને વિદાય આપીને ભારતીય રાજનીતિના આગેવાનોએ લોકતંત્રનો સ્વીકાર કર્યો. બ્રિટીશ શાસન પાસેથી. વિરાસતમાં મળેલી આ શાસનપ્રણાલીને વિવેકપૂર્વક અપનાવવામાં આવી કે તેને અપનાવવામાં કોઈ અવરોધ હતો ? આ પ્રશ્ન અડધી સદી પહેલાંના અતીતમાં ડોકિયું કરવા માટે મજબૂર કરે છે. તે સમયે ભારતમાં સ્વતંત્રતાનો જુવાળ હતો. દેશની યુવાપેઢી તે જુવાળથી પ્રભાવિત હતી. મહાત્મા ગાંધીનું નેતૃત્વ યુવકો માટે બહુ મોટું આશ્વાસન હતું. તેમણે આઝાદી માટે અનેક યાતનાઓ ભોગવી. તેમના પ્રેરણાસ્રોત ગાંધી અહિંસાના ઉપાસક હતા. તેમણે અહિંસાના દુર્ભેદ્ય કિલ્લામાં ઊભા રહીને ભારતને સ્વતંત્રતા અપાવી. સ્વતંત્રતાની પહેલાં તેમની સમક્ષ સંજોગો એટલા અનુકૂળ નહોતા. અને સ્વતંત્રતા પછી તેમની હત્યા થઈ ગઈ. જો તે હયાત હોત તો કદાચ લોકચેતનામાં લોકતંત્ર માટે અનુકૂળ વિવેક જગાડી શક્યા હોત. સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તે એક વાત છે અને તે અનુભૂતિને જીવવી તે બીજી વાત છે. સ્વતંત્ર ભારતના નાગરિકોની મનોદશા આજે પણ સ્વસ્થ નથી. તેઓ લોકતંત્રમાં જીવતા હોવા છતાં અલોકતાંત્રિક અવ્યવસ્થાઓ ભોગવી રહ્યા છે. આથી એમ કહી શકાય કે લોકતંત્રનો સ્વીકાર અપક્વ માનસિક ભૂમિકા ઉપર થયો છે. તેને માટે કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી હતી નહીં.
કરામત કોને આપવો કેવી રીતે આપવો ફરાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org