________________
લોકતંત્રના સારથિઓની અહંતા
લોકતંત્રનો રથ કાદવમાં ફસાયેલો છે. રથના સારથિઓ તેને તેમાંથી બહાર કાઢવા માગે છે, પરંતુ તેઓ તેમ કરવાની કલા જાણતા નથી. તેઓ જેટલું જોર કરે છે તેટલો રથ વધુ ને વધુ ઊંડો ફસાતો જાય છે. કારણ સ્પષ્ટ છે. સારથિ યોગ્ય નથી. તેમની યોગ્યતા માટે કોઈ ચોક્કસ માપદંડ નથી. સત્તા અને અર્થના પ્રભાવથી અથવા જાતિ અને સંપ્રદાયની પ્રતિબદ્ધતાથી લોકસભા અને વિધાનસભાઓની ટિકિટ મળી શકે છે. મતદાતા પ્રલોભન, ભય અને પ્રતિબદ્ધતાથી ઘેરાઈને ઊભો છે. વોટ મેળવવા માટે ઇચ્છનીય તથા અનિરછનીય તમામ પ્રકારના ઉપાયો અજમાવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં યોગ્ય વ્યક્તિઓની પસંદગી કઈ રીતે થઈ શકે ?
જે લોકો લોકતંત્રનો રથ ચલાવી રહ્યા છે, તેમના પ્રશિક્ષણની પણ કોઈ વ્યવસ્થા નથી. અબુધ બાળકોને ભણાવવા માટે પ્રશિક્ષિત અધ્યાપકની પસંદગી થાય છે, પરંતુ રાષ્ટ્રનું સંચાલન કરવા માટે ના તો શૈક્ષણિક યોગ્યતાની અપેક્ષા છે અને ના તો આંતરિક અહંતાની. સંયમ, આત્માનુશાસન, સહિષ્ણુતા, પ્રામાણિકતા જેવાં મૂલ્યોને અહેતાની કસોટીઓ તરીકે સ્વીકારવામાં આવે તો યુગના વર્તમાન પ્રવાહને વાળી શકાય છે.
અણુવ્રત આંદોલનનો એક કાર્યક્રમ છે. લોકતંત્રની શુદ્ધિ. ઈ.સ. ૧૯૪૬ થી નૈતિક તેમજ ચારિત્રિક મૂલ્યોને લોકજીવનમાં પ્રતિષ્ઠિત કરવા માટે તે સક્રિય છે. ચૂંટણીની પ્રક્રિયાના શુદ્ધીકરણની દૃષ્ટિએ અણુવતે કેટલાક માપદંડ રજૂ કર્યા છે. તે મુજબ વોટ મેળવવાની અધિકારી એ જ વ્યક્તિ છે કે –
જે ઈમાનદાર હોય. જે નશામુક્ત હોય. જે ચારિત્રવાન હોય. જે કાર્યનિપુણ હોય. જે જાતિ અને સંપ્રદાયથી બંધાયેલ ન હોય.
જે રાષ્ટ્રના લોકો જાગૃત નથી હોતા તેમનું તંત્ર સ્વસ્થ હોઈ નથી હોતું. લોકતંત્રને સ્વસ્થ અને વિશ્વસ્ત બનાવવું હોય તો એવા ક0eeeeeeees લોકતંત્રશુદ્ધિની પ્રક્રિયા ૭:: કાકી કાકી કાકી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org