SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની ક્ષમતાને લકવો લાગી ગયો છે. એક ઊંડી ખામોશી અને નિર્માલ્યતા સતત વૃદ્ધિ પામી રહ્યાં છે. બૂરાઈ જોઈને આંખો બંધ કરી લેવી અથવા તો કાનમાં આંગળી દબાવી દેવી એ પર્યાપ્ત નથી. તેની વિરુદ્ધમાં વ્યાપક લોકચેતના જગાડવાની અપેક્ષા છે. મહાત્મા ગાંધીની દષ્ટિએ ભ્રષ્ટાચાર વધવાનું સૌથી મોટું કારણ જટાયુવૃત્તિ'નો લોપ થયો છે તે છે. રાવણે સીતાનું અપહરણ કર્યું. તે તેને જબરજસ્તી પોતાના વિમાનમાં બેસાડીને લઈ જઈ રહ્યો હતો. જટાયુએ સીતાનું કરુણ છંદન સાંભળ્યું. તે જાણતો હતો કે રાવણના સકંજામાંથી સીતાને મૂક્ત કરાવવાનું સામર્થ્ય તેનામાં નથી. છતાં તેના માટે તેનો અર્થ એવો નહોતો કે રાવણ સાથે યુદ્ધ કર્યા વગર સીતાને લઈ જવા દેવાં. તેણે મોતનો સ્વીકાર કરીને રાવણ સામે મુકાબલો કર્યો. જ્યાં સુધી એના શરીરમાં શક્તિ હતી ત્યાં સુધી તે રાવણ સાથે લડતો રહ્યો. આજે ભ્રષ્ટાચારનો રાવણ માનવતારૂપી-સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો છે. કરોડો લોકોની આંખોની સામે આ થઈ રહ્યું. છે. પરંતુ કોઈપણ જટાયુ આગળ આવીને તેનો વિરોધ કરવાની સ્થિતિમાં નથી. ભ્રષ્ટાચાર પ્રત્યે પ્રજાનું આ મૌન, આ ઉપેક્ષાભાવ તેની વૃદ્ધિ નહિ કરે તો બીજું શું કરશે ? આજે જ્યારે રાજનૈતિક પક્ષો, અધિકારી વર્ગ, સરકારી અને બિનસરકારી તંત્ર તથા પ્રજા- આ સૌ અનુભવ કરે છે કે ચૂંટણીની પદ્ધતિ ખોટી છે ભ્રષ્ટાચારના આરોપોથી જ નહીં વાસ્તવિક ભ્રષ્ટાચારથી લિપ્ત છે. ચૂંટણી જીતવા માટે પાણીની જેમ પૈસા વેડફવામાં આવે છે. તેથી તે બોજરૂપ છે. પરંતુ પરિવર્તનની દિશામાં કોઈ એક પગલું પણ ભરતું નથી. આ વર્ષે એક વ્યક્તિએ ચૂંટણીના ભ્રષ્ટાચારની વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. તેણે સૌને ચોંકાવી દીધા છે. લોકોને આશંકા છે કે સંવિધાનમાં (બંધારણમાં) પરિવર્તનનું વિધેયક લાવીને તે અવાજને દબાવી દેવામાં આવશે. તે શક્ય છે. લોકતંત્ર કરતાં પણ સવાઈ બોલબાલા સ્વાર્થતંત્રની છે. તેની સામે રાષ્ટ્ર, સંવિધાન અને પ્રજા બધું જ ગૌણ છે. જો આવા સમયે પ્રત્યેક વ્યક્તિની જટાયું વૃત્તિને જગાડી શકાય અને ચૂંટણીના ભ્રષ્ટાચારના વિરોધમાં એક પ્રબળ અવાજ તૈયાર કરી શકાય, તે સ્વરને સ્થિરતા મળી શકે તો લોકતંત્રના મૂળને સિંચન પ્રાપ્ત થઈ શકે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy