________________
થાય છે. વિરોધી અવાજને કચડી નાંખવા માટે બંદુકની ભાષાનો પ્રયોગ સર્વથા અલોકતાંત્રિક છે. આવી પદ્ધતિ જ્યાં અપનાવવામાં આવશે ત્યાં લોકતંત્રની નિર્મમ હત્યા થશે.
પણ
લોકતંત્રની કરોડરજ્જુ
શરી૨ કરોડરજ્જુના આધારે ચાલે છે. લોકતંત્ર ચૂંટણીના આધારે ચાલે છે. આ અર્થમાં જોઈએ તો ચૂંટણી લોકતંત્રની કરોડરજ્જુ છે. ચૂંટણીનું લક્ષ્ય યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિની પસંદગીનું છે. આજની ચૂંટણી-પ્રક્રિયા જોતાં એમ લાગે છે કે મૂળ લક્ષ્ય વિસ્તૃત થઈ ગયું છે અને જેમ તેમ કરીને સત્તા મેળવવી એ જ જાણે કે ચૂંટણીનું લક્ષ્ય બની ગયું છે. આ ચૂંટણીએ ઉમેદવાર, મતદાતા અને ચૂંટણી કિંમશનની જ નહીં, લોકતંત્રની ગરીમાના ધૂળમાં મેળવી છે.
એક છોકરો માટી ખોદતો હતો. પિતાએ તેને પૂછ્યું, ‘તું શું કરે છે ?' છોકરો બોલ્યો, “પિતાજી ! હું આપનું નામ શોધી રહ્યો છું.' પિતાએ વિસ્મયથી પૂછ્યું, ‘મારું નામ અહીં ક્યાંથી મળશે ?' છોકરાએ કહ્યું, ‘પિતાજી ! આપે જ તો મને કહ્યું હતું કે મેં આપનું નામ માટીમાં મેળવી દીધું છે !' શું આવા પુત્રો પોતાના પિતાનું નામ રોશન કરી શકે ખરા ?
લોકતંત્રના સપૂતોએ પણ તેની સાથે કંઈક આવો જ વ્યવહા૨ કર્યો છે. જ્યારે દેશના નેતાઓને કહેવામાં આવે છે કે તેઓ લોકતંત્ર સાથે કેવી ગંદી રમત રમી રહ્યા છે ત્યારે તેમનાં મોં સિવાઈ જાય છે. લોકતંત્રની ના તો કોઈ જાતિ છે, ના તો કોઈ તેનો સંપ્રદાય. છતાં તેને જાતિવાદ અને સંપ્રદાયવાદની સાથે જોડવાનો દુષ્પ્રયાસ કરવામાં આવે છે. જે દેશમાં જાતિ, સંપ્રદાય અને ધન (પૈસા)ના આધારે ચૂંટણી થતી હોય તે રાષ્ટ્ર લોકતંત્ર સાથે વિડંબના કરે છે એમ માનવું રહ્યું.
જટાયુ વૃત્તિને જગાડવાનું જરૂરી છે
લોકતંત્રનાં મૂળ મજબૂત કરવા માટે ચૂંટણીની પ્રક્રિયાને સ્વસ્થ બનાવવાનું આવશ્યક છે. ચૂંટણીની પ્રક્રિયા ખોટી હશે તો લોકતંત્રનાં મૂળ સડી જશે. આ વાત તમામ લોકો સમજે છે કે ચૂંટણીનો ભ્રષ્ટાચાર દ્રૌપદીનાં વસ્ત્ર જેવો બની ગયો છે, પરંતુ તેનો વિરોધ લોકતંત્ર શુદ્ધિની પ્રક્રિયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org