________________
કરી શકાય તેમ છે. પરંતુ વિચારવાનું એ છે કે તેનાથી લાભ શો થાય ? લોકોમાં જે થોડી ઘણી આસ્થા આ તંત્ર પ્રત્યે રહી છે તે પણ ખતમ થઈ જશે. મારો પોતાનો મત એવો છે કે કોઈ પણ તંત્ર, મંત્ર કે યંત્ર ત્યાં સુધી સફળ થઈ શકતું નથી, જ્યાં સુધી માણસ સાચા અર્થમાં માણસ બનતો નથી. તંત્રનો સંચાલક માણસ હોય છે. તે સંચાલનમાં જેટલી અનૈતિકતા દાખવશે, એટલું જ તંત્ર વિકૃત થતું જશે. વિકૃત તંત્રના આધારે સ્વસ્થ સમાજ કે રાષ્ટ્રની કલ્પના થઈ શકે નહિ.
લોકતંત્ર સર્વોત્તમ શાસનતંત્ર છે, જો તે તંત્રને સંચાલિત કરનાર અને તેનું ચયન કરના વ્યક્તિ સાચી હોય તો. લોકતંત્ર સૌથી દુર્બળ શાસનતંત્ર છે, જો નેતા અને પ્રજા સાચાં ન હોય. લોકતંત્રમાં લખવા, બોલવા અને વિચારવાની સ્વતંત્રતા છે, પરંતુ એનો અર્થ એ નથી કે વ્યક્તિ ઉર્ફોખલ બની જાય. લોકતંત્રમાં પ્રત્યેક વ્યક્તિને સત્તાના સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. પરંતુ ચરિત્રબળ અને બુદ્ધિબળ રહિત વ્યક્તિના હાથમાં સત્તા આવે તો તેનું કેવું પરિણામ આવે ? લોકતંત્રની સફળતાનાં સૂત્રો
ભારત એક એવો દેશ છે જ્યાં ભગવાન મહાવીરના અનેકાંત દર્શનને ફાલવા-ફૂલવાની તક મળી છે. અનેકાન્ત લોકતંત્રની આધારશિલા છે. સાપેક્ષતા, સમાનતા, સહઅસ્તિત્વ અને સ્વતંત્રતા અનેકાન્તનાં ઘટકતત્ત્વો છે. આ જ તત્ત્વોના આધારે લોકતંત્ર ચાલી શકે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને કહ્યું હતું, આજનું લોકતંત્ર ભગવાન મહાવીરના અનેકાન્ત દર્શનનું પરિણામ છે.' લોકતંત્રમાં આસ્થા રાખનારા લોકો અનેકાન્ત દર્શનનો ઉપયોગ કરે તો લોકતંત્રની સફળતામાં કોઈ સંદેહ રહે નહીં.
વાણી અને વિચારની સ્વતંત્રતાનો સીધો સંબંધ અહિંસા સાથે
અવરોધ હિંસા છે. દમન હિંસા છે. દેશના નાગરિકોને વિચાર કરવાની તથા બોલવાની સ્વતંત્રતા ત્યાં જ મળી શકે છે કે જ્યાં અહિંસામાં અટલ વિશ્વાસ હોય. સત્તાના વિરોધમાં બોલનારા લોકોને જ્યાં શાંતિપૂર્વક સાંભળવામાં આવે છે ત્યાં લોકતંત્ર સફળ રાનવું દર્શન :નલેસમા:રારા ઝાટકીટર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org