SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોકતંત્ર-શુદ્ધિની પ્રક્રિયા જગતમાં અનેક પ્રકારની શાસનપ્રણાલીઓ પ્રચલિત છે. તેમાં ગણતંત્ર, રાજતંત્ર, અધિનાયકતંત્ર લોકતંત્ર વગેરે મુખ્ય છે. આ બધામાં કર્યું તંત્ર સારું છે ? આ પ્રશ્નનો ઉત્તર નિરપેક્ષ ન હોઇ શકે. પ્રત્યેક તંત્રમાં કેટલીક ખૂબીઓ અને કેટલીક ખામીઓ હોઈ શકે છે. હજી સુધી કોઈપણ તંત્ર સમગ્ર રૂપમાં સારું કે સંપૂર્ણ સાચું પ્રમાણિત થઈ શક્યું નથી. આમ છતાં વર્તમાનમાં હવાની દિશા લોકતંત્ર તરફ પ્રતીત થાય છે. જગતના અનેક દેશોમાં લોકતાંત્રિક પદ્ધતિથી રાજ્યનું સંચાલન ચાલી રહ્યું છે. જ્યાં લોકતંત્ર નથી ત્યાંના લોકો તેનું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેનો અર્થ એ થયો કે અન્ય તંત્રોની તુલનાએ લોકતંત્ર પ્રત્યે લોકોની આસ્થા પ્રબળ છે. લોકતંત્રની શ્રેષ્ઠતાનાં અનેક કારણો છે. સૌથી અધિક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમાં પ્રત્યેક વ્યક્તિને શિખર સુધી પહોંચવાની તક મળી શકે છે. અન્ય તંત્રોમાં સામૂહિક નેતૃત્વની પરંપરા હોય કે એકલ નેતૃત્વની, પ્રત્યેક વ્યક્તિને શિખર ઉપર જોવાની કલ્પના કરી શકાતી નથી. એકતંત્ર અને અધિનાયકતંત્રમાં સત્તાના વિરોધમાં બોલનાર નિશ્ચિત બનીને જીવી શકતો નથી. ઇતિહાસ બતાવે છે કે એવી વ્યક્તિને અનેક પ્રકારની યાતનાઓ અથવા મૃત્યુદંડ સહન કરવા પડતા હોય છે. જ્યારે લોકતંત્રમાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને પણ અદાલતના દરવાજે ઊભા કરી શકાય છે. લોકોની આકાંક્ષાઓની પૂર્તિનો અવકાશ જેટલો લોકતંત્રમાં છે તેટલો એકતંત્રમાં હોઈ શકે નહીં. લોકતંત્ર નિષ્ફળ કેમ? લોકતંત્રમાં સારાપણાની પ્રબળ સંભાવના હોવા છતાં તે સફળ થઈ શક્યું નથી તે ચિંતાનો વિષય છે. લોકતંત્રની નિષ્ફળતાનાં કારણોની મીમાંસા કરવામાં આવે તો એક લાંબી કારણ શ્રેણી રજૂ રાકાર રાક લોકતંત્રશુદ્ધિની પ્રક્રિયા સરકારી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy