________________
સંબંધ રહેતો નહોતો. મુક્ત ભ્રમણની વાત તો ઠીક, તેમના મિલનપ્રસંગ ઉપ૨ પણ પરિવારનું નિયંત્રણ રહેતું હતું. તેમનામાં પારસ્પરિક આલાપ-સંલાપ થતો નહોતો. ચાલો, આજે જમાનો બદલાયો છે એ વાત સ્વીકારી. પુખ્ત થયા પછી લગ્ન થાય છે, છતાં કોઈક તો મર્યાદા હોવી જ જોઈએ. મર્યાદા-બોધ વગ૨ ક૨ણીય અને અકરણીયનો વિવેક જળવાતો નથી. વિવેકશૂન્ય કાર્ય સારું કઈ રીતે હોઇ શકે?
સંયમનું મૂલ્ય
સીમા, મર્યાદા, સંયમ, અનુશાસન, નિયંત્રણ વગેરે શબ્દો અત્યંત મૂલ્યવાન છે. તેમની મૂલ્યવત્તા શબ્દસંરચનાના આધારે નહિ, જીવનનિર્માણના આધારે છે. જ્યાં સીમાઓ તૂટે છે, લક્ષ્મણરેખાઓ ભૂંસાઇ જાય છે ત્યાં સીતાઓનું હરણ થતું રહે છે. એક વખત સીમા તૂટી જાય, રસ્તો ખૂલી જાય ત્યાં સંકોચ કે લજ્જા નામનું તત્ત્વ અદશ્ય થઈ જાય છે. પછી મનોરંજનના નામે તે સઘળું સ્વીકારી લેવામાં આવે છે જે અગાઉ સામાજિક અને પારિવારિક વાતાવરણમાં વર્જિત હતું.
કેટલાક લોકો એમ માને છે કે પ્રતિબંધ આકર્ષણ વધારે છે. માત્ર પુખ્તો માટે જ જે ફિલ્મો બતાવવામાં આવે છે, તેમના પ્રત્યે કિશોરપેઢીની ઉત્સુકતા પ્રબળ રહે છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ આ વાત સાચી હોઇ શકે છે, છતાં આત્મસંયમ અને સામાજિક અનુશાસનના સિદ્ધાંતનો તેની સાથે કોઈ મેળ નથી. જો ક્યાંય કશું વર્જિત કે પ્રતિબંધિત નહિ રહે તો માણસ અને પશુના વ્યવહારમાં પણ કોઈ તફાવત રહેશે નહિ. આ દૃષ્ટિએ સંયમનું મૂલ્ય આપોઆપ પ્રમાણિત થઈ જાય છે.
અશ્લિલતાના મુખ્ય સ્રોત
વર્તમાન યુગમાં જાહેરખબર, દૂરદર્શન અને સિનેમા વગેરે એવાં માધ્યમો છે કે જે તમામ પ્રકારની સામાજિક વર્જનાઓ તોડીને અશ્લિલતાને નિર્વસ્ત્ર કરી રહ્યાં છે. જાહેરખબર-કંપનીઓને કદાચ એ ખબર નથી કે ભારતની ગરિમાપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓની હત્યા કરીને માનવજાતિનું તેઓ કેટલું મોટું અહિત કરી રહી છે. તેમની નજર માત્ર પૈસા ઉપર જ ઠરેલી છે. નહિતર દરેક ચીજની જાહેરખબરમાં સ્ત્રીઓનાં અર્ધનગ્ન ચિત્રો શા માટે બતાવવામાં નવું દર્શન નવો સમાજ ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org