________________
અશ્લિલતાની સમસ્યા લા અણુવ્રતનું સમાધાન
ક
છે
:
:
:
:
:
જ
વર્તમાન જીવનશૈલીની પ્રખર સમસ્યાઓ પૈકી એક સમસ્યા છેઅશ્લિલતા. આ સમસ્યા ઉપર વિચાર કરતાં પહેલાં એ સમજવું આવશ્યક છે કે શ્લિલતા અને અશ્લિલતા શું છે ? આચાર્ય હેમચંદ્ર શ્લિલ શબ્દને વૈભવસંપન્ન વ્યક્તિનો વાચક માન્યો છે. આ અર્થમાં શ્લિલતા એટલે સંપન્નતા. જો આ અર્થ માન્ય કરીએ તો અશ્લિલતાનો અર્થ થશે દરિદ્રતા. આ અર્થમાં સમ્યકુ સંસ્કારોના દારિદ્રને અશ્લિલતા માની શકાય. સાહિત્યની ભાષામાં શ્લિલતા એટલે શિષ્ટતા અથવા શાલીનતા. આ સંદર્ભમાં અશ્લિલતાનો અર્થ છે. અશિષ્ટતા અથવા અશાલીનતા. અંગ્રેજી શબ્દકોષમાં શિષ્ટાચાર, ભદ્રતા અથવા સૌજન્યતા માટે “કર્ટસી' શબ્દનો પ્રયોગ જોવા મળે છે. આ શબ્દપ્રયોગો ઉપર ધ્યાન આપવામાં આવે તો અશ્લિલતા શબ્દ અશિષ્ટતા, અભદ્રતા અને દરિદ્રતાનો બોધક બને છે. તેને ભાષા અને વ્યવહાર બંને સાથે સંબંધ છે. કેટલાક લોકોની ભાષા શિષ્ટજનસંમત નથી હોતી. કેટલીક વ્યક્તિ પોતાની બોલચાલની ભાષામાં પણ ગાળાગાળી કરે છે. કેટલીક વ્યક્તિ અંદરોઅંદર વૈમનસ્યને કારણે અપશબ્દોનો પ્રયોગ કરે છે. તેને અશિષ્ટતા કહી શકાય, પરંતુ અશ્લિલતાની સમસ્યા સાથે તેનો સીધો સંબંધ નથી. શ્લિલતા અને અશ્લિલતાનો પ્રશ્ન
મારા મત પ્રમાણે તે ભાષા, તે વ્યવહાર અને તે દશ્ય અશ્લિલ ગણાવું જોઈએ કે જે કામુકતાને ઉત્તેજનારું હોય, જેને શિષ્ટ સમાજમાં લાજનક તથા વર્ષ માનવામાં આવતું હોય તથા સમૂહમાં જેની અભિવ્યક્તિ કરતાં સંકોચનો અનુભવ થતો હોય. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સેક્સની બાબતે ખુલ્લાપણાનું નામ છે અશ્લિલતા. નવું દર્શની નવોસમાજLI:
કાકડી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org