SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિચાર સાથે હું સહમત નથી. જો માણસ બદલાય જ નહીં તો તેને ઉપદેશ આપવાની પરંપરાનો પણ કોઈ અર્થ જ ન રહે. તમામ ધમોંમાં ઉપદેશ આપવાની પદ્ધતિ છે. અને તેનો પ્રભાવ પણ નજર સામે છે. વિદ્યાર્થીઓને ઉપદેશ આપવામાં આવે છે, સૈનિકોને પણ ઘણુંબધું શિખવાડવામાં આવે છે. ઘર-ગૃહસ્થીનાં કાર્યો તથા વ્યવસાયમાં નિપુણતા લાવવા માટે પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. અત્યારના એક-બે દશકાઓમાં તો પ્રશિક્ષણની ઘણીબધી શાખાઓ વિકસિત થયેલી જોવા મળે છે. જો પ્રશિક્ષણ દ્વારા વ્યક્તિમાં કોઈ વિશેષતા ન આવતી હોત તો તે માટે આટલો બધો સમય, શ્રમ અને અર્થનો વ્યય કોણ કરે ? દરેક વ્યક્તિ સો ટકા પરિવર્તન પામશે એમ કહેવું કદાચ અતિકલ્પના છે. અતિશયોક્તિમાં મને વિશ્વાસ નથી અને ના તો નિરાશાનો ચક્રટ્યૂહ રચવા ઇચ્છું છું. વ્યાવહારિક વાત તો માત્ર એટલી જ છે કે વ્યક્તિ પોતે બદલવા ઇચ્છે અને તેને અનુકૂળ વાતાવરણ તથા સુયોગ્ય પ્રશિક્ષકનો યોગ મળે તો તેના જીવનમાં રૂપાંતરણ થઈ શકે છે. મારી પદયાત્રા દરમ્યાન મેં દેશના લાખો-લાખો લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કર્યો. તેમની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓનું અધ્યયન પણ કર્યું. અન્ય સમસ્યાઓની સાથે માદક તથા નશીલા પદાથોનાં સેવન દ્વારા ઉપજેલી સમસ્યાઓ વિશેષ જ્વલંત હતી. આ જ સમસ્યા પ્રત્યે લોકોને સચેત કરવામાં આવ્યા. તેનાથી મુક્તિ મેળવવા માટે અણુવ્રતની આચારસંહિતા સમજાવવામાં આવી તથા તેની માનસિકતાને બદલવામાં આવી. આથી હજારો વ્યક્તિઓ વ્યસનમુક્ત બની ગઈ. મારા પોતાના અનુભવથી હું એમ માનું છું કે વ્યક્તિમાં રૂપાંતરણ ચોક્કસ થઈ શકે છે. રૂપાંતરણની પ્રક્રિયા પરિવર્તન બે કક્ષાએ થઈ શકે છે ? શારીરિક સ્તર ઉપર અને ભાવનાના સ્તર ઉપર. માત્ર શારીરિક સ્તર ઉપર થતું પરિવર્તન અસ્થાયી હોય છે. વ્યક્તિના ભાવ બદલવામાં આવે તો પરિવર્તનમાં સ્થાયિત્વ પ્રગટે છે. ભીતરનું પરિવર્તન વ્યવહારમાં પ્રગટ થઈ જાય છે. પરિવર્તન આપોઆપ પણ થઈ શકે છે અને કોઈક પ્રશિક્ષકના સહયોગ દ્વારા પણ થઈ શકે છે. તેને માટે વ્યક્તિએ અપાયજ્ઞ અને ઉપાયજ્ઞ થવું જરૂરી છે. અપાયો-દોષોને જાણ્યા વગર કોઈપણ કાકાનવું દર્શનનો સમાજEas૩૪we seઝ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy