________________
,
કા
પાનાશનો પર્યાય નશો
સર્જન અને નિમણિનાં સ્વપ્નો ભારે મોહક અને કાર્યકારી હોય છે. જે સમાજ કે રાષ્ટ્રમાં આવાં સ્વપ્નો જોવામાં આવતાં નથી ત્યાં એક પ્રકારની ઘેરી સુષુપ્તિ રહે છે. સ્વપ્નો જોવાં એ રચનાત્મક જીવનશૈલીનું મુખ્ય ઘટક છે. જે વ્યક્તિ અથવા વર્ગ સ્વપ્નો જોવાથી ડરે છે તે ક્યારેય કોઈ મોટું કામ કરી શકતો નથી. સ્વપ્નો જોવાનો એક ચોક્કસ સમય હોય છે. બાળકો સ્વપ્નો જોઈ શકતાં નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાનમાં જીવે છે. વર્તમાનમાં જીવનારાઓને સ્વપ્નજગત સાથે કશો સંબંધ હોઈ શકતો નથી. વૃદ્ધો સ્વપ્નો જોઈ શકતા નથી, કારણ કે તેઓ માત્ર અતીતમાં જીવવાની રુચિ ધરાવે છે. ખુલ્લી આંખો વડે દૂરના ભવિષ્યને નિહાળવાનું સાહસ તેમનામાં હોતું નથી.
આ બે પેઢીઓની વચ્ચે એક ત્રીજી પેઢી છે. યુવાપેઢી તે વર્તમાનમાં જીવવા છતાં ભવિષ્યને પોતાની નજર સામેથી ઓજલ થવા દેતી નથી. પરંતુ તે પેઢી છેલ્લા એક દશકાથી જાણે એવી અપંગ થઈ ગઈ છે કે સર્જન અને નિમણિનાં સ્વપ્નો જોવાનું જ ભૂલી ગઈ છે ! પ્રશ્ન એ છે કે તે અપંગ કેમ બની ? તેની ચેતના કુંઠિત કેવી રીતે થઈ ? તેનો વિવેક ક્યાં ગયો ? તે શા માટે અપરાધો તરફ ઉન્મુખ બની ? તેને મતિભ્રમ કેમ થઈ ગયો ? તે જીવનના યથાર્થ સામે કેમ આંખ આડા કાન કરવા લાગી ? આ તમામ પ્રશ્નનો ઉત્તર એક જ છેનશાની સંસ્કૃતિ. આ સંસ્કૃતિએ જ યુવાપેઢી ઉપર જુલમ ગુજાર્યો છે. નશાની આદત કેવી રીતે પડે છે ?
કોઈ પણ બાળક જન્મની સાથે નશાની આદત લઈને આવતું નથી. આ આદત પરિસ્થિતિ અને વાતાવરણની ઉપજ છે. મેડિકલ સાયન્સ એમ માને છે કે વ્યક્તિત્વનાં ઘટકતત્ત્વો જીન્સમાં હોય છે. જીન્સનું અધ્યયન કરીને એમ કહી શકાય છે કે કયું બાળક આગળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org