________________
હતું. વર્તમાનમાં શિક્ષણ એકાંગી બની ગયું છે. જો હજી પણ તેમાં ભારતીય સંસ્કૃતિનાં મૂળતત્ત્વોનો સમાવેશ કરવામાં આવે તો આગામી દશકમાં સંસ્કારોની સારી ફસલ તૈયાર થઈ શકે તેમ છે. શિક્ષણની નવી દિશા
શિક્ષણના ભારતીયકરણની ચર્ચાનો અર્થ એવો નથી કે અત્યારની શિક્ષણપ્રણાલીમાં માત્ર દોષો જ દોષો છે. અમે એ વાતને હંમેશાં સ્વીકારી છે કે આપણી શિક્ષણ પદ્ધતિ તદ્દનખોટી નથી. આજે જે વૈજ્ઞાનિક વિકાસ, આર્થિક પ્રગતિ અને પ્રૌદ્યોગિક ક્ષેત્રમાં જે નવી ઉપલબ્ધિઓ મળી છે તે કોઈ ખોટી પ્રણાલી દ્વારા કેવી રીતે શક્ય બની શકે ? તબીબી ક્ષેત્રમાં નિતનવી ટેક્નિક્સ વિક્સી રહી છે તે શિક્ષણનું જ પરિણામ છે ને ! લૌકિક દૃષ્ટિએ અકલ્પિક વિકાસ થયો હોવા છતાં એ વાત દીવા જેવી સ્પષ્ટ છે કે દેશનું ચારિત્રિક પાસે ધૂંધળું બન્યું છે. આ ક્ષેત્રમાં શિક્ષણે કશું જ ઉલ્લેખનીય કામ કર્યું નથી. તેથી શિક્ષણને જીવનમૂલ્યોના સંદર્ભમાં પ્રાયોગિક બનાવવાની અપેક્ષા છે.
બાબુ જગજીવનરામજીએ પોતાનો માર્મિક અનુભવ આ પ્રમાણે કહ્યો હતો - “હું મારી વિદેશયાત્રા દરમ્યાન એક વખત જાપાન ગયો.
ત્યાં એક સ્ટેશન પર ગાડી થોભી ને પછી આગળ ચાલી. તેમાં સેંકડો મજૂરો ટિકિટ વગર ચડી ગયા. મેં વિચાર્યું કે ભારતની જેમ અહીં પણ રેલવે યાત્રા આવી રીતે જ થતી હશે. મેં મારા મનની વાત એક મજૂરને કહી. તેણે કહ્યું, “બાબુજી, આપ કેવી વાત કરો છો ? અમને અહીં ટિકિટ લેવાનો સમય મળતો નથી. આગળ જઈને અમે ટીટીને પૂરા પૈસા ચૂકવી દઈશું. અમારા દેશની ધરતી ઉપર એક પણ માણસ એવો નાલાયક નથી કે જે પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રને નુકસાન કરે.'
આ એવો પ્રસંગ છે જે સંસ્કારોના તફાવતની કથા વ્યક્ત કરે છે. ભારત મહાન છે. તેની સંસ્કૃતિ મહાન છે. તેનો વારસો મહાન છે, પરંતુ તે આપણી શિક્ષણ પદ્ધતિમાંથી નીકળી ગયો છે. જે ચારિત્ર શિક્ષણનું અંગ જ નથી, તે વિદ્યાર્થીઓના જીવનમાં ક્યાંથી આવશે ? ધંતૂરાનું બીજ વાવીને કેરીના ફળની આશા શી રીતે રાખી શકાય ? એમ લાગે છે કે આપણા શિક્ષણનું પ્રાણતત્ત્વ લુપ્ત થઈ ગયું છે. હવે તેને પુનઃ શિક્ષણ સાથે સંયોજિત કરવાની અપેક્ષા છે.
રાકાર
રાક શિક્ષણનું પ્રાણતત્ત્વજ્યાં ખોવાઈ ગયું
કરડીઝાઝsews
રાકર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org