________________
સાધુવાદ સર્વોચ્ચ ન્યાયાલયને
થવું તો એમ જોઈતું હતું કે ભારતીય શિક્ષણશાસ્ત્રીઓ દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓને અનિવાર્ય ભાષા તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી હોત. પરંતુ થયું છે એનાથી તદ્દન ઊલટું. અનિવાર્ય તો દૂર રહ્યું. વૈકલ્પિક ભાષા તરીકે પણ આ ભાષાઓને સ્વીકૃતિ મળી નથી. ભારત સરકારે પ્રાકૃત તો ઠીક સંસ્કૃતને પણ મહત્ત્વ આપ્યું નથી. કહેવાય છે તો એમ કે - સક્કર્ષ પાગય ચેવ પસ€ ઇસિભાસિય- સંસ્કૃત અને પ્રાકૃત શ્રેષ્ઠ ભાષાઓ છે, તે ઋષિઓ દ્વારા બોલવામાં આવતી ભાષાઓ છે. આવી શ્રેષ્ઠ ભાષાઓની પોતાના જ દેશમાં થતી ઘોર ઉપેક્ષા જોઈને સર્વોચ્ચ અદાલતનું ધ્યાન એ તરફ ગયું. ન્યાયમૂર્તિ કુલદીપ સિન્હા અને બી. એલ. હંસારિયાની ખંડપીઠે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને નિર્દેશ કર્યો કે અભ્યાસક્રમમાં સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સામેલ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય એ તમામ લોકો માટે ઉત્સાહપ્રેરક છે કે જેઓ ભારતીય સંસ્કૃતિને સુરક્ષિત રાખવા ઝંખે છે. એ જ દિવસોમાં સર્વોચ્ચ અદાલતે બીજો પણ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તે મુજબ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવામાં આવશે.
ઉપરોક્ત બંને ચુકાદા સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતને સાધુવાદ (ધન્યવાદ) આપવાનું મન થાય છે. વિદ્વાન ન્યાયાધીશોના આ નિર્ણય, માત્ર ન્યાયની દિશામાં જ નહીં, ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટેનાં પણ નક્કર કદમ છે. જો કે પ્રાકૃત ભાષા હજી પણ તેમની નજરથી ઓજલ છે, પરંતુ તેમણે એટલું તો પુરવાર કરી જ દીધું છે કે સંસ્કૃતના અધ્યયન વગર ભારતીય દર્શનો અને સંસ્કૃતિનું જ્ઞાન સંભવિત નથી. ભારતીય શિક્ષણપ્રણાલીમાં ગુરુકુળોની પરંપરા સહમત રહી છે. ગુરુકુળ નિતાંત અનોપચારિક શિક્ષણ કેન્દ્રો બની રહેતાં હતાં. ત્યાં આજીવિકાની સાથે જીવનનિમણિનું શિક્ષણ મળતું હતું. પરાવિદ્યા અને અપરાવિદ્યા તરીકે આધ્યાત્મિક અને લૌકિક બંને પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. એક તરફ વિદ્યાર્થીને શસ્ત્રવિદ્યા, કૃષિ વગેરેનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવતું હતું, તો બીજી તરફ વિનમ્રતા, સહિષ્ણુતા, કરુણા, સંયમ, શ્રમ, સ્વાવલંબન વગેરે ચારિત્રિક મૂલ્યોનું જ્ઞાન પણ આપવામાં આવતું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org