________________
ગમે ત્યાં જાય અને ગમે ત્યાં રહે એ તો ચિંતાનો કોઈ વિષય નથી. પરંતુ ચિંતાનો વિષય છે માતૃભૂમિ પ્રત્યેનાં પોતાનાં કર્તવ્યોની વિસ્મૃતિ. આર્થિક પ્રલોભન અને સુખસુવિધાનું આકર્ષણ વ્યક્તિને પોતાના મૂળથી ઉખાડીને ગમે ત્યાં સ્થાપિત કરી શકે છે. આ માન્યતા સત્ય પુરવાર થઈ રહી છે.
આજે ભારતીય લોકોને ભારતીય હોવાનું ગૌરવ નથી. હોય પણ કઈ રીતે ? જ્યાં સુધી શિક્ષણનું ભારતીયકરણ નહીં થાય, ભારતીયતા પ્રત્યે આદર નહીં વધે. શિક્ષણ ભારતમાં અપાય છે છતાં ત્યાં ભારતીય ભાષાઓની પ્રધાનતા નથી. ભારતીય સંસ્કૃતિની પ્રધાનતા નથી. દેશની સરકાર અને દેશની શિક્ષણ સંસ્થાઓ માત્ર મૂકદર્શક બની ગયાં છે. દેશના શિક્ષણશાસ્ત્રીઓમાં એટલું સાહસ નથી કે તેઓ ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિની તરફદારી કરી શકે.
ભારતની મૂળ ભાષાઓ છે. સંસ્કૃત અને પ્રાકૃત. પ્રાચીન કાળમાં આ ભાષાઓમાં હજારો ગ્રંથો લખાયા. આપણા સાંસ્કૃતિક વારસાના ગ્રંથ વેદ, આગમ અને પિટક છે. તેમની ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને પાલી છે. વેદોના પછીના સમયમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય વગેરેએ ખૂબ ગંભીર ગ્રંથો લખ્યા. આગમોનું વ્યાખ્યાસાહિત્ય અને અન્ય આધ્યાત્મિક ગ્રંથો લખનારા જેન આચાયોમાં આચાર્ય કુંદકુંદ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, સમંતભદ્ર, હેમચંદ્ર, હરિભદ્ર, અકલંક, જિનસેન વગેરે નામો ઉલ્લેખનીય છે. બૌદ્ધ દર્શનના વિદ્વાનોમાં દિનાગ, ધમકીતિ, અશ્વઘોષ, વસુમિત્ર, બુદ્ધઘોષ વગેરે પ્રસિદ્ધ છે. ઉચ્ચકોટિના કાવ્યસાહિત્યનું સર્જન કરનારા મનીષીઓમાં મહાકવિ કાલિદાસ, માઘ, ભવભૂતિ, બાણભટ્ટ, દણ્ડી, વગેરેનાં નામ લેવામાં આવે છે. આવા વિદ્વાનોની યાદી ખૂબ લાંબી છે. અહીં તો તેમનું માત્ર સૂચન જ કરવામાં આવ્યું છે. આ એવા વિદ્વાનો છે, જે પૈકીના પ્રત્યેક વિદ્વાને લાખો પદ્યોની રચના કરી છે. તેમની રચનાઓ શું છે ? સંસ્કૃતિની જીવંત પ્રતિમાઓ છે. તેમાં હજારો વર્ષની સંસ્કૃતિ અને સભ્યતાને ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિને જાણવા-સમજવા માટે સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથરત્નોને જ એક માત્ર આધાર બનાવવો પડશે. કારણ શરણ she શિક્ષણનું પ્રાણતત્ત્વ ક્યાં ખોવાઈ ગયું પારકાવાસાકરણારાણાવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org