________________
ભારતને સ્વતંત્ર થયાને પાંચ દશકા પૂરા થવા આવ્યા છે. આટલો દીર્ઘકાળ વીતી જવા છતાં દેશની શિક્ષણ પદ્ધતિનું નિધરિણ, થઈ શક્યું નથી તે કેવી વિચિત્ર વાત છે ! મિશ્રિત શિક્ષણપ્રણાલી અને સંચારમાધ્યમોનાં સાંસ્કૃતિક પરિણામોનું અધ્યયન કરવામાં આવે તો પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક પ્રતીત થાય છે. આજે માતાનું સ્થાન આયાએ લઈ લીધું છે. પ્રભાતિયાંનું સ્થાન ફિલ્મી ગીતો લઈ રહ્યાં છે. ઢીંગલા-ઢીંગલીની રમતમાં જે સર્જનાત્મક ચિંતન હતું તે આજે પિસ્તોલ-રોકેટ જેવાં રમકડાંને કારણે ખંડનાત્મક બની રહ્યું છે. બે અઢી વર્ષનાં બાળકો સ્કૂલની દિનચર્યામાં બંધાઈને ઘરેલું વાતાવરણ દ્વારા પ્રાપ્ત થતા મુક્ત શિક્ષણથી વંચિત રહી જાય છે.
સંપન્ન લોકો પોતાનાં બાળકોને પબ્લિક સ્કૂલોમાં કે કોન્વેન્ટ્સ સ્કૂલોમાં ભણાવે છે. ત્યાં સ્વાભાવિક રીતે પ્રવેશ ન મળે તો મોટી રકમોનું ડોનેશન આપીને પ્રવેશની સુવિધા મેળવે છે. તે સ્કૂલોમાં માતૃભાષાની જે ઉપેક્ષા થઈ રહી છે. તે સાંભળીને પીડા ઊપજે છે. વિદેશી ભાષાઓ પ્રત્યે અમારા મનમાં ધૃણા કે ધિક્કારની ભાવના નથી, પરંતુ આજે જે સ્વરૂપે અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધી રહ્યો છે તે સ્વરૂપે ભારતીય ભાષાઓ ઉપેક્ષાના ડંખ ભોગવી રહી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓની તો વાત જ ક્યાં રહી ? - હિંદી પણ જીવનમાંથી જાણે કે વિદાય લઈ રહી છે. શિક્ષણના ક્ષેત્રમાં એક એકથી ચડિયાતી ડિગ્રીઓથી સન્માનિત ભારતીય યુવક ધર્મ કે દર્શનનાં હિંદી પુસ્તકોને વાંચી નથી શકતો, સમજી નથી શકતો આ કેવું ત્રાસદાયક છે ! સંસ્કૃતિનું પરિવર્તન
શિક્ષણ વિકાસનું અવિભાજ્ય અંગ છે. અંધવિશ્વાસ, સામાજિક કુરિવાજો, અનુચિત માન્યતાઓ અને જીવનગત વિકૃતિઓમાં શુદ્ધિ લાવવાનું માધ્યમ શિક્ષણ છે. એક તરફ શિક્ષણ જીવવાની કલા શીખવે છે, તો બીજી તરફ પારસ્પરિક વ્યવસાયમાં નિપુણતા આણે છે. શિક્ષિત લોકો પોતાના ઉદ્દેશ તરફ વિશેષ જાગરૂક બને છે. તેમ સમકાલીન પડકારોને ઝીલવા માટે કટિબદ્ધ રહે છે. પરંતુ આ બધું ત્યારે શક્ય છે જ્યારે જીવનમૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનું શિક્ષણ પ્રાપ્ત થાય. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં આવું કશું જ નથી એમ પણ નથી. પરંતુ પોતાની ભાષા અને સંસ્કૃતિને ગૌણ જાણકારી માટે શિક્ષણનું પ્રાણતત્ત્વ ક્યાં ખોવાઈ ગયું છેજેઓ રાજકારાકાકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org