________________
લાલા શિક્ષણનુંલા પ્રાણતત્ત્વાલ લાલાશ ક્યાં લાખોવાઈ લાગયું પારણા
અમેરિકાના રાષ્ટ્રપતિ બિલિટને વીસમી સદીના નવમા શતકને ડિકેડ ઓફ ધ બ્રેન - મસ્તિષ્કના દશક તરીકે ઓળખાવ્યો છે. આ દશકમાં મસ્તિષ્કની સંરચના અને કાર્યકલાપો ઉપર બહુમુખી સંશોધન થયું. સંશોધકોએ અનેક નિષ્કર્ષ રજૂ કર્યા. તેમના નિષ્કર્ષોનું એક બિંદુ છે- માનસિક વ્યાયામથી મસ્તિષ્કને અધિક સારી રીતે પરિચાલિત કરી શકાય છે.
માનસિક વ્યાયામનો શિક્ષણ સાથે ખૂબ ઊંડો સંબંધ છે. શિક્ષણ દ્વારા માત્ર પુસ્તકીયું જ્ઞાન જ ઉપલબ્ધ થતું નથી, પરંતુ મન પણ પ્રશિક્ષિત બને છે. શિક્ષણ સમાજને સંસ્કારિત કરવાનું અભિકરણ છે. શિક્ષણ હોય અને જીવનમાં સંસ્કાર તથા શુદ્ધીકરણ ન આવે તો એમ માનવું કે તેમાં કંઈક ઊણપ છે. સૂરજના પ્રકાશ થકી સૂરજમુખીનું ફૂલ ન ખીલે તો પછી તે શેનાથી ખીલશે ? શિક્ષણ સંસ્કાર-નિમણિનું સૌથી પ્રશસ્ત માધ્યમ છે. તે માનવીને જીવનની પ્રકૃતિથી આગળ જઈને સંસ્કૃતિ સાથે જોડે છે. તેમાં પણ વિકૃતિનું દર્શન થતું હોય તો સમાજને શિક્ષણ દ્વારા શું મળશે? સંસ્કારોનું સર્જન કોના દ્વારા?
માનવીને સૌથી પ્રથમ સંસ્કાર માતા દ્વારા મળે છે. સંસ્કાર-નિમણના ક્ષેત્રમાં જન્મદાતા માતાનું જેટલું મહત્ત્વ છે, તેનાથી જરાય ઓછું માતૃભાષા અને માતૃભૂમિનું મહત્ત્વ નથી. જો શિક્ષણ માતા પાસેથી ન મળે, માતૃભાષા દ્વારા ન મળે અને માતૃભૂમિમાં ન મળે તો તેની પાસેથી સંસ્કારોની આશા કેવી રીતે રાખી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org