________________
જેમ અભ્યાસ પુષ્ટ બનતો જશે તેમ તેમ મનુષ્યનાં મન, વચન અને કર્મ ઉપર ભાઈચારાનો પ્રભાવ આપોઆપ સ્થપાતો જશે. માનવતાનો પાયો
અણુવ્રત એક એવું આંદોલન છે જે જાતિ, સંપ્રદાય, પ્રાંત, વર્ગ, વર્ણ, લિંગ, રંગ, ભાષા વગેરે તમામ ભેદરેખાઓથી અલિપ્ત માનવીય દૃષ્ટિથી કામ કરી રહ્યું છે. હિંદુ હોય કે મુસલમાન, શીખ હોય કે ઈસાઈ, જો તે અણુવ્રતી હશે તો પરસ્પર ભાઈ ભાઈ બનશે. આ ભૂમિકા ઉપર એમ સમજી શકાય છે કે અણુવ્રત માત્ર નૈતિકતાનું અભિયાન નથી, તે વિશ્વબંધુત્વ અથવા તો ભાઈચારાનું અભિયાન છે. ભાઈચારાનું એક અદ્ભુત ઉદાહરણ હૈદ્રાબાદથી ૨૭પ કિલોમીટર દૂર ગુલબગ જિલ્લાના ટિનટિની ગામમાં જોવા મળે છે. ત્યાંના હિંદુ અને મુસલમાન છેલ્લી ચાર શતાબ્દીઓથી એક જ સંતને એક જ પૂજાસ્થળ ઉપર પૂજતા રહ્યા છે. તે સંત મૂલતઃ હિંદુ હતા. આગળ જતાં તે સૂફી મતથી પ્રભાવિત થયા. હિંદુ લોકો તેમને મોનેશ્વર બાબાના નામથી માને છે અને મુસલમાનો મોના પૈયા તરીકે તેમને સંબોધે છે. આસ્થાના દરેક પ્રતીકમાં માનવીની આવી સમન્વયાત્મક ભાવના વિકસિત થઈ જાય તો ભાઈચારાનો સિક્કો સમગ્ર વિશ્વમાં ચલાવી શકાય.
અણુવ્રતનું લક્ષ્ય એ નથી કે જાતિઓ, સંપ્રદાયો, ભાષાઓ વગેરેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય કારણ કે કોઈક દષ્ટિએ તે બધું આવશ્યક છે, પરંતુ તેને કારણે જે વિવાદ થાય છે, જે સંઘર્ષ થાય છે, જે અંતર વધે છે, જે ઉન્માદ વધે છે, જે આક્રમક મનોભાવનો ઉછેર થાય છે તે અનુચિત છે.
આ તમામ પરિસ્થિતિઓના કારણે નવી નવી સમસ્યાઓ પેદા થઈ રહી છે. સમસ્યા ભલે ગમે તેટલી મોટી અને જટિલ કેમ ન હોય, પરંતુ ભાઈચારાની ભાવના દ્વારા તેનું સમાધાન અવશ્ય થઈ શકે છે. તે માનવતાની બુનિયાદ છે. તેને જેટલી મજબૂત કરવામાં આવશે એટલો જ માનવતાનો મહેલ ઊંચો અને મજબૂત કરી શકાશે.
દરર
સઘળા દેશોનો એક સિક્કો ભાઈચારો ર0રર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org