________________
નિયમમોમાંથી કેટલાક નિયમોનો ઉલ્લેખ અહીં કરીએ
* સચિત્ત- અન્ન, પાણી, ફળ વગેરે સચિત્ત વસ્તુઓની મર્યાદા
કરવી. * દ્રવ્ય- ખાવા પીવામાં લેવાતી વસ્તુઓની સંખ્યા સીમિત
કરવી. * વિગઈ- દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ ખાંડ અને મીઠાઈ આ છે
વિગઈના ઉપભોગની મયદા કરવી. * પની- ચંપલ, મોજા, ચાખડી, બૂટ વગેરેની મર્યાદા કરવી. * વસ્ત્ર પહેરવા માટેનાં વસ્ત્રોની મયદા કરવી. * વાહન- મોટર, રેલગાડી, સ્કૂટર, રિક્ષા વગેરે વાહનોની - મયદા કરવી. * સ્નાન- સ્નાન તથા જળની માત્રાની મયદા કરવી.
આમ નાની નાની વાતો ઉપર ધ્યાન આપીને દરરોજ સંકલ્પ કરવામાં આવે છે. આ સંયમની સાધના છે. ઉપભોગ-પરિભોગનું સીમાકરણ છે. વર્તમાન અર્થશાસ્ત્રી અથર્જનની સાથે સાધનશુદ્ધિ અને સંયમ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને જોડી શકે તો માનવીની જીવનશૈલીમાં દેખીતું પરિવર્તન આવે શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org