________________
મોટી મોટી હવેલીઓમાં આળોટે છે ? આહાર, વસ્ત્ર અને રહેઠાણ વગેરે જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ છે. તેમની પૂતિ ન થાય તો માનવીનું કામ ચાલી શકતું નથી. પરંતુ તે માટે આદર્શોને ખીંટી ઉપર ભરાવીને વધુમાં વધુ સમૃદ્ધ બનવાની હોડનું ઔચિત્ય સમજાતું નથી.
આ વાતો સમાજ માટે છે, સમજ માટે નહીં. સમાજ માનવીઓનો બનેલો છે, જ્યારે સમજ પશુઓની હોય છે. પશુઓને આ વિશે કાંઈ જ કહેવાની જરૂર નથી. કારણ કે તેમની ઈચ્છાઓ સીમિત હોય છે. તેમનામાં સંગ્રહવૃત્તિ નથી હોતી. તેમને ખાવા માટે ગમે તેટલું આપવામાં આવે પરંતુ પેટ ભરાઈ જશે એટલે તરત તેઓ ખાવાનું છોડી દેશે. તેમના મનમાં ક્યારેય એવો વિચાર પણ નથી આવતો કે આવતી કાલ માટે થોડુંક બચાવીને રાખીએ. એમ લાગે છે કે તેમનો સંયમ સહજ સંયમ છે. માણસે સંયમ ગુમાવ્યો છે. ક્યાં છે ખાવાનો સંયમ ? ક્યાં છે પહેરવાનો સંયમ ? એક એક ટંકના ભોજનમાં સો સો પ્રકારની વાનગીઓ ! શું કોઈ વ્યક્તિ એક વખતમાં આટલી બધી ચીજો ચાખી શકે ખરી ? પહેરવા માટે વસ્ત્ર આવશ્યક છે. ઋતુ અને પ્રસંગ અનુસાર વેશભૂષા બદલાતી રહે છે. એ દષ્ટિએ દશ-વીસ પ્રેસ રાખવાની વાત હજી સમજાય તેમ છે. પરંતુ એક વ્યક્તિ સો-પચાસ પ્રકારનાં વસ્ત્રો રાખે છે તે શું છે ? અંધાનુકરણ અથવા પ્રદર્શનની મનોવૃત્તિ છે, સંગ્રહની મનોવૃત્તિ છે અને અસંયમની મનોવૃત્તિ છે. આવી અન્ય પણ કેટલીક વાતો છે જે વિચાર માંગે છે, પરિવર્તન માગે છે અને ઈચ્છાઓના નિયંત્રણ કે સંયમની આવશ્યકતાનો અનુભવ કરે છે. - નાનકડી છતાં મહત્ત્વની વાતો
મહાવીરના અર્થશાસ્ત્રમાં સાધનશુદ્ધિને જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એટલું જ મહત્ત્વ ઉપભોગ-પરિભોગની મયદાને પણ આપવામાં આવ્યું છે. મહાવીરના શ્રાવક સમાજમાં આ બંને બિંદુઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. સાધનશુદ્ધિની દૃષ્ટિએ તેને માટે કેટલાક વ્યવસાય વર્જિત છે. એ જ રીતે શ્રાવકના દૈનિક વ્યવહારમાં આવનારા પદાર્થો અને પ્રવૃત્તિઓની મયદાનો ક્રમ પણ પ્રચલિત છે. વર્તમાનમાં આ ઉપક્રમને ચૌદ નિયમો તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ચૌદ
કારક અર્થશાસ્ત્રના બે અધ્યાય સાધનશુદ્ધિ અને સંયમ ર૪૩% 008
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org