________________
દીકરાઓને બોલાવીને થેલી મળ્યાની વાત જણાવી. અહીં સુધી તો બધું બરાબર હતું. પરંતુ એકાએક તેના મનમાં એક વિચાર જાગ્યો, ભગવાને અમને આટલા બધા રૂપિયા આપ્યા. છતાં સોમાં એક ઓછો છે. તો શા માટે આપણે એક રૂપિયો ઉમેરીને આ થેલીને સુરક્ષિત મૂકી ન દઈએ ? આટલો મોટો પરિવાર છે, કોણ જાણે ક્યારે પૈસાની જરૂર પડે ? | મુખ્ય વ્યક્તિએ પોતાનો વિચાર દીકરાઓને જણાવ્યો. તેમને પોતાના પિતાનું ચિંતન વાજબી લાગ્યું. એ જ દિવસથી તેમણે પોતાના ખાવા પીવામાં કરકસર શરૂ કરી. ચાર દિવસોમાં એક રૂપિયા બચાવી દીધો. થેલીમાં રૂપિયો ઉમેરીને તે મૂકી દીધો. પરંતુ હવે તેમને પૈસા બચાવવાનો લોભ જાગી ગયો. એક તરફ પૈસા બચાવવા અને બીજી તરફ વધુ શ્રમ કરીને વધુ પૈસા કમાવવા. સંગ્રહની વૃત્તિ વધી. નિશ્ચિતતા તૂટી. રાતદિવસ પૈસા જ પૈસા દેખાવા લાગ્યા. છ મહિના પણ પસાર થયા નહોતા ત્યાં તો પરિવારના તમામ લોકો બીમાર પડી ગયા. મુખ્ય વ્યક્તિનું શરીર સુકાઈને સોટી જેવું થઈ ગયું.
શેઠજીએ શેઠાણીને એ દિવસની સ્મૃતિ કરાવતાં કહ્યું, ‘ત્યાં અત્યારે પાડોશી પરિવારની હાલત જોઈ કે નહીં ?' શેઠાણીએ એક નજર એ તરફ નાખી. તે સ્તબ્ધ બની ગઈ. પાડોશીઓને તે ઓળખી પણ ન શકી. તેણે પૂછ્યું, “શેઠ સાહેબ ! આ શું થયું ?” શેઠજી બોલ્યા, બીજું તો કાંઈ નથી થયું, આ તો નવ્વાણુનું ચક્કર છે. આ ચક્કરમાં જે કોઈ આવી જાય છે તેની સાથે આવું જ બને છે.” આદર્શોની ખીંટી ઉપર ભરાવવાનું ઔચિત્ય
આજનું અર્થશાસ્ત્ર નવ્વાણુના ચક્કર જેવું છે. અધિક ઉત્પાદન અને અધિક અર્જન. સોથી હજાર, હજારથી લાખ, લાખથી કરોડ, કરોડથી અરબ, અરબથી આગળ ઘણું બધું. કોઈ પણ બિંદુ ઉપર ઇચ્છાઓનું નિયંત્રણ નથી. યથાર્થની ભૂમિકાથી જોવામાં આવે તો માનવીને કેટલું જોઈએ ? ભોજન, વસ્ત્રો અને રહેઠાણ. એક ગરીબ માણસ અનાજની રોટલી ખાઈને જીવે છે તો શું એક અમીર સોનાચાંદીની રોટલી ખાય છે ? એક ગરીબ સામાન્ય કપડાં પહેરીને કામ ચલાવે છે, તો શું અમીર લોકો માટે દેવનામી વસ્ત્રો આવે છે ? એક ગરીબ વ્યક્તિ નાનકડી ઝૂંપડીમાં રહે છે તો શું અમીર લોકો
જરા
ટાટાનવું દર્શન કરવોસમાજEી ર૪ર આe
ણાટકાઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org