________________
ઈમાનદારી અને પ્રતિષ્ઠાની હત્યા
નિયંત્રિત સમાજમાં સામાજિક મૂલ્યમાપદંડોની પ્રતિષ્ઠા હોય છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાચારી નથી હોતી. તે વિચારે છે કે સમાજમાં તે એકલો જ નથી. અનેક વ્યક્તિઓનો સમન્વય એટલે જ સમાજ. સમાજ કોઈ એક વ્યક્તિની ઈચ્છાથી નથી ચાલતો. તેના કેટલાક નિયમો અને કાયદા-કાનૂન હોય છે. જે તોડવાથી સામાજિક સંઘર્ષ પેદા થાય છે. વ્યક્તિની પોતાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓ હોય છે. તેનો જનક છે લોભ. લાભથી લોભ વધે છે. લોભી વ્યક્તિનું જીવન અનેક પ્રકારની વિસંગતિઓથી ભરાઈ જાય છે. લોભથી તેને કેટલું બધું અહિત થાય છે તે વિચારી શકતો નથી. લોભને જીતવાનો નિર્દેશ કરતાં આચાર્ય સોમપ્રભે કહ્યું
મૂલં મોહવિષદ્ગમસ્ય સુકૃતામ્ભોરાશિફલ્મોભવઃ, ક્રોઘાનેરરણિઃ પ્રતાપતરણિપ્રચ્છાદને તોયદ: ક્રિીડાસઘકલેવિવેકશશિનઃસ્વભનુરાપનદીસિન્ધઃ કીર્તિલતાકલાપકલાભો લોભ પરાભૂયતામા
જે મોહરૂપી વિષવૃક્ષનું મૂળ છે, સુકૃતરૂપી સમુદ્રને સૂકવી નાખવા માટે અગત્ય ઋષિ છે, ક્રોધરૂપી અગ્નિ માટે અરણીનું લાકડું છે, પ્રતાપરૂપી સૂર્યને આચ્છાદિત કરવા માટે વાદળ છે, કલહનું ક્રીડાગૃહ છે, વિવેકરૂપી ચંદ્રમાને પ્રસિત કરવા માટે રાહુ છે, આપદારૂપ નદીઓને સમાવિષ્ટ કરવા માટે સમુદ્ર છે, કીર્તિરૂપી ડાળીઓને તોડવા માટે શિશુ હાથી છે, એવા લોભને જીતો.
લોભની આગ ખૂબ જલદી પ્રસરે છે. તે વ્યક્તિનાં સુખચેન, સ્વાથ્ય , નિશ્ચિતતા, પ્રેમ વગેરે તમામ તત્ત્વોને ભસ્મિભૂત કરી મૂકે છે. લોભી વ્યક્તિ પોતાની ઈમાનદારીને તો ગિરવે મૂકે છે જ, પરંતુ. સાથોસાથ પોતાની પ્રતિષ્ઠાની હત્યા પણ કરે છે. આ નવ્વાણુંનું ચક્કર છે. જે વ્યક્તિ તેમાં પડે છે તે જોતજોતામાં બરબાદ થઈ જાય
નવ્વાણુંનું ચક્કર
એક ગામમાં બે પરિવાર સામસામે રહેતા હતા. એક પરિવાર આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ હતો. મોટો બંગલો, આધુનિક સુખસગવડોની ભરમાર, ઉચ્ચ કક્ષાની જીવનશૈલી, બહુ મોટો કારોબાર, નાનકડો પરિવાર. સારું ભોજન, ફળ, રસ, દૂધ વગેરેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org