SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થશાસ્ત્રાના બે અધ્યાય : | લવાજા સાધનશુદ્ધિ અને સંયમ જાળવી કરિના સમાજનાં બે સ્વરૂપ છે - અનિયંત્રિત અને નિયંત્રિત. અનિયંત્રિત સમાજમાં ઇચ્છાઓ ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. જેમતેમ કરીને ઈચ્છાઓની પૂર્તિ કરવી એ જ સમાજનું લક્ષ્ય હોય છે. કોઈપણ પ્રકારની સીમા, મયદા, વર્જના કે લક્ષ્મણરેખા તેને માન્ય હોતી નથી. કેટલાક દશકાઓ પૂર્વે અમેરિકામાં હિપ્પીઓ અને બીટલ્સ લોકોએ પોતાનો એક સમાજ બનાવ્યો. અથવા એમ કહી શકાય કે પારંપરિત સામાજિક પરિવેશને તોડીને તેમણે મુક્ત જીવનશૈલી સ્વીકારી. તેમનું ચિંતન એવું હતું કે બંધન વિકાસમાં અવરોધક છે. નિષેધ આકર્ષણને વધારે છે. પરંપરાઓ વ્યક્તિને રૂઢ બનાવે છે. મસ્તીનું જીવન ખુલ્લાપણામાં છે. જે વ્યક્તિની જેવી ઈચ્છા હોય, તેવું જીવન જીવવા માટે તે સ્વતંત્ર રહે, પરંતુ તેઓ એ સત્ય જાણતા નહોતા કે તમામ ઈચ્છાઓની પૂર્તિ થઈ શકતી નથી. આચાર્ય સોમપ્રભે આ સત્યનું ઉદ્ઘાટન કરતાં લખ્યું છે કે વધિસ્તુષ્યતિ નેન્ધનૈરિહયથા નાસ્મોભિરઝ્મોનિધિસ્તન્મોહઘનો ઘનૈરપિ ઘનૈર્જન્તુને સન્તુષ્યતિ ન વેવં મનુતે વિમુચ્યવિભવંનિઃશેષમળ્યું ભવું, યાત્યાત્મા તદઉં મુપૈવ વિદઘાયેનાંસિ ભૂયાંસિ કિસ્સા ઈંધણ દ્વારા આગ ક્યારેય શાંત થતી નથી. પાણી વડે ક્યારેય સમુદ્રને તૃપ્તિ થતી નથી. એ જ રીતે મોહાસક્ત માનવી ઘણું બધું ધન મેળવવા છતાં સંતુષ્ટ બનતો નથી. તે એમ નથી વિચારતો કે આત્મા સઘળો વૈભવ અહીં મૂકીને પરભવમાં જાય છે. મારે કશું જ સાથે લઈ જવાનું નથી તો પછી હું શા માટે વ્યર્થ પાપોનું બંધન કરું ? જ્યાં સુધી માનવીનો દૃષ્ટિકોણ સમ્યફ નથી બનતો, ત્યાં સુધી તે સાચું ચિંતન કરી શકતો નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy