________________
પ્રકૃતિનું અસીમ શોષણ કરનાર લોકો કહે છે કે આ અભિયાન તમામ લોકોની સંપન્નતા માટે છે. મને તો એમ લાગતું નથી કે આવું કોઈ ચિંતન હોય. સૌનું તો કોણ જુએ છે ? જે થોડાક લોકો સંપન્ન છે, તેઓ અતિસંપન્ન બની રહ્યા છે. બાકીના લોકો વિપન્નતાનો અભિશાપ જીવી રહ્યા છે. એક વાત બીજી પણ છે કે જો તમામ લોકો સંપન્ન બની જાય તો સંપન્નતાનું પણ કોઈ મહત્ત્વ રહે નહીં. સંપન્નતા સમાધાન નથી
એક પ્રાચીન વાર્તા છે. ઈંદ્ર અને ઈંદ્રાણી સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પધાર્યાં. તેઓ એક ગામની નજીક રહ્યાં. તેમણે જોયું તો ગામમાં મોટા ભાગના લોકો ગરીબ હતા, સંકટગ્રસ્ત હતા. ઇંદ્રાણીએ કહ્યું, ‘આપ તો સંકટમોચક છો. આ લોકોનું સંકટ દૂર કરો.' ઈંદ્ર બોલ્યા, દરેક વ્યક્તિને સંકટમુક્ત કરી શકાતી નથી.' આથી ઈંદ્રાણી વધુ મક્કમ બન્યાં. તેમણે કહ્યું, ‘આપ ઇચ્છો અને તે કામ ન થાય એવું હું માની શકતી નથી. આપે કંઈક કરવું જ પડશે.' સ્ત્રીહઠનો મુકાબલો ઈંદ્ર પણ કરી શક્યા નહીં. તેઓ બોલ્યા, “મને વિશ્વાસ તો નથી, છતાં તું કહે છે તેથી હું એક પ્રયત્ન કરી જોઉં.'
ઈંદ્રએ પોતાની દિવ્યશક્તિનો ઉપયોગ કર્યો. ગામમાં દરેક વળાંક ઉપર સોનાના ઢગલા ગોઠવી દીધા. થોડીક જ વારમાં એ વાત લોકો સુધી પ્રસરી ગઈ. સ્ત્રી, પુરુષ, બાળકો વગેરે ગામના તમામ લોકો તત્પરતાથી ઘરની બહાર દોડી આવ્યા. જેની પાસે થેલી, પેટી, તગારું વગેરે જે કંઈ સાધનો હતાં તે સોનાથી ભરી લીધાં. સમગ્ર ગામ દરિદ્રતાના અભિશાપથી મુક્ત થઈ ગયું. સૌની પાસે સુખસુવિધાનાં સઘળાં સાધનો પર્યાપ્ત હતાં.
થોડાક સમય પછી ઈંદ્ર અને ઈંદ્રાણી વળી પાછાં એ જ ગામમાં પધાર્યાં. તેમણે જોયું કે ગામના લોકો સંપન્ન છે, પણ પ્રસન્ન નથી. તેમના ચહેરા ઉપર વિષાદ છે. વિષાદનું કારણ સમજાયું નહીં. કેટલાક લોકો ત્યાં ઊભા ઊભા વાતો કરતા હતા. એક વ્યક્તિએ કહ્યું, ‘કોણ જાણે કયા મૂરખનું આ કામ છે ? આપણને સૌને સંપન્ન બનાવી દીધા. હવે આપણે આપણી સંપદા કોને બતાવીએ ? અહીં તો કોઈ જોનારું છે જ નહીં !'
ઈંદ્ર ઈંદ્રાણી તરફ જોઈને બોલ્યા, ‘તેં કહ્યું હતું કે આ લોકોનું સંકટ દૂર કરો. મેં તે સૌને સંપન્ન બનાવી દીધા. પરંતુ તેમનું સંકટ
દર્શન નવો સમાજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org