________________
દૂર થવાને બદલે વધી ગયું છે. તે આ વાતને સમજી લે કે સંકટ વિપન્નતાનું નથી હોતું, વૃત્તિઓનું હોય છે. જ્યાં સુધી વૃત્તિઓનું શુદ્ધીકરણ નથી થતું ત્યાં સુધી સંકટ પણ નથી ટળતું. જ્યાં સુધી દષ્ટિ સમ્યફ નહીં બને ત્યાં સુધી નવાં નવાં સંકટો આવ્યા જ કરવાનાં. હું એકલો શી રીતે પહેરી શકું?
મહાત્મા ગાંધી દષ્ટિસંપન્ન વિભૂતિ હતા. શરીરથી દૂબળા પાતળા, પરંતુ મનથી ઉદાર. ઓછો ખોરાક ખાતા અને ઓછાં કપડાં પહેરતા. માત્ર વિચારોથી જ નહીં, આચરણથી પણ તેઓ સાચા સમાજવાદી હતા. તેમનું ચિંતન એવું હતું કે જ્યારે દેશના લોકો ભૂખ્યા રહેતા હોય ત્યારે પોતે પેટ ભરીને શી રીતે જમી શકે?
એક વખત એક બાળક ગાંધીજી પાસે ગયો અને કહ્યું, “બાપુ ! આપ આટલી નાનકડી ધોતી અને ગંજી કેમ પહેરો છો ? હું આપને સંપૂર્ણ પોશાકમાં જોવા ઈચ્છું છું.” ગાંધીએ કહ્યું, “બેટા ! તારા ઈચ્છવાથી શું થશે ? તારી માતા સંપૂર્ણ પોશાક આપશે નહીં.' બાળકે આગ્રહ કરીને કહ્યું, 'બાપુ ! આપ ના ન પાડો. મારી માતા બહુ સારી અને ઉદાર છે. હું જેમ કહીશ તેમ તે કરશે જ.' ગાંધીજી તેને સમજાવતાં બોલ્યા, “બેટા ! એક પોશાકથી મારું કામ નહીં ચાલે. મારે ત્રીસ કરોડ પોશાક જોઈશે. ત્રીસ કરોડ ન મળે તો હું એકલો તે શી રીતે પહેરી શકું ? ગાંધીજી સ્વયં ઓછું ખાતા અને ઓછું પહેરતા. તે માત્ર ત્યાં જ અટક્યા નહોતા. તેમણે દેશની જનતાને સંયમ અને સાદગીનો માર્ગ બતાવ્યો. તેઓ દેશને દરિદ્ર રાખવા ઈચ્છતા નહોતા. તેમણે લોકોનું ધ્યાન લઘુઉદ્યોગો તરફ આકળ્યું. ઘેર ઘેર ચરખા લાવીને તેમણે બેકારીની સમસ્યાનું નવું સમાધાન આપ્યું. તાદાભ્યનો અનુભવ
વિ. સં. ૨૦૦પમાં મેં કેટલાક સાધુઓને સૌરાષ્ટ્ર તરફ મોકલ્યા. ત્યાં ભયંકર વિરોધનું વાતાવરણ ઊભું થયું. સાધુઓને રહેવા માટે યોગ્ય સ્થાન મળતું નહોતું. ખાવા માટે પૂરતું ભોજન મળતું નહોતું. આ સમાચાર પ્રાપ્ત થતાં મેં દૂધનો ત્યાગ કર્યો અને આહારમાં પદાર્થોની સંખ્યા સીમિત કરી દીધી. કોઈને કાંઈ જ કહ્યા વગર હું આ પ્રયોગ કરતો રહ્યો. સાધુઓમાં ઉહાપોહ જાગ્યો. મારી સામે પ્રશ્ન આવ્યો, ‘તબિયત બરાબર નથી કે શું ? ભોજનમાં કેમ
રાપર્યાવરણ અને અર્થશાસ્ત્રકાર૩૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org