________________
ક્ષેત્રમાં વિવેકની અપેક્ષા છે. વિવેક દ્વારા નિર્ધારિત સીમા સુખની વ્યાખ્યાને જ નહીં, અનુભૂતિને પણ બદલી નાખે છે.
મહાત્મા ગાંધી સેવાગ્રામમાં રહેતા હતા. અમેરિકાના પત્રકાર લૂઈ ફિશર ગાંધીજીના જીવન ઉપર લખવા ઇચ્છતા હતા. તેમણે આશ્રમમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાત્માજીએ તેમને અનુમતિ આપી. તેમણે કામ કરવાનું શરૂ કર્યું. ગરમીની ઋતુ હતી. ત્યાં વાતાનુકૂલનની કોઈ વ્યવસ્થા નહોતી. ભયંકર ગરમીથી લૂઈ ગભરાઈ ગયા. તેમણે કહ્યું, “મહાત્માજી ! આટલી બધી ગરમીમાં રહેવાનું મુશ્કેલ છે. હું અહીં કામ નહીં કરી શકું. હવે જે ગરમી વધશે તો મારે માટે જીવવાનું પણ મુશ્કેલ બની જશે.” મહાત્મા બોલ્યા, ‘તમારે એરકંડિશન જોઈએ તો તમારે માટે તેની વ્યવસ્થા થઈ જશે.'
મહાત્મા ગાંધીએ કહ્યું, “એક મોટું ટબ લાવો. તેમાં ઠંડું પાણી ભરી દો. તેમાં બે સ્કૂલ ગોઠવો. એક સ્કૂલ ઉપર ફાઈલો મૂકો અને બીજા ઉપર લૂઈને બેસવાની વ્યવસ્થા કરો.' શીતળ છાંયડામાં ટબ મૂકવામાં આવ્યું. મહાત્માજીએ લૂઈને બોલાવીને કહ્યું, “કોટ કાઢી નાખો. પાટલૂન ઊંચું કરો. સ્કૂલ ઉપર બેસી જાવ. પગ પાણીમાં રાખો. પછી જુઓ કે આ કેવી વાતાનુકૂલિત જગા છે ! હવે અહીં શાંતિથી કામ કરો.' લૂઈએ ત્યાં બેસીને કામ કર્યું. ગરમીની સમસ્યાનું સમાધાન થઈ ગયું. જીવનમાં આવી અનેક પરિસ્થિતિઓ આવે છે. તે પરિસ્થિતિઓ સાથે સામંજસ્ય ગોઠવવાનો દૃષ્ટિકોણ દરેક વ્યક્તિનો પોતાનો અલગ અલગ હોઈ શકે છે. આ સ્થિતિમાં વિકાસની કોઈ એક સીમા કેવી રીતે બાંધી શકાય ? મહાવીરના અર્થશાસ્ત્રમાં વિકાસની સીમાઓ
મહાવીરના અર્થશાસ્ત્રમાં વિકાસની એક સીમા નિશ્ચિત છેશોષણમુક્ત વ્યવસ્થા. તેમણે શોષણમુક્ત વ્યવસ્થાનાં પાંચ સૂત્રો આપ્યાં.
* કોઈ માનવી કે પશુને મારવું. * કોઈ માનવી કે પશુને બંધનમાં રાખવું. * કોઈ માનવી કે પશુનો અંગભંગ કરવો. * કોઈ માનવી કે પશુ ઉપર અતિભાર લાદવો. * પોતાના આશ્રિત માનવી કે પશુના ભરણપોષણનો વિચ્છેદ કરવો- તેમને યોગ્ય સમયે ભોજનપાણી ન આપવાં, પૂરતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org