________________
પ્રમાણમાં ભોજનપાણી ન આપવાં વગેરે.
જે અર્થશાસ્ત્રમાં એક વ્યક્તિના વિકાસની સંપૂર્ણ સંભાવનાઓ હોય અને બાકીની વ્યક્તિઓની જરૂરિયાતોની પૂર્તિ પણ ન થતી હોય એવું અર્થશાસ્ત્ર કઈ રીતે માન્ય થઈ શકે? જે લોકોના શ્રમ અથવા જીવનનાં મૂલ્યો ઉપર અર્થતંત્ર વિકસિત થાય છે તેમના શ્રમને ઉચિત પારિશ્રમિક ન મળે અને તેમના જીવનની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હોય તે અર્થશાસ્ત્રના વિકાસની અવધારણાઓ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લટકી જાય છે. મહાવીરના અર્થશાસ્ત્રમાં સંયમનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મૂલ્ય સંભાળી લોકો પ્રત્યે થતી સંવેદનશીલતાનું છે. સંવેદન અને કરુણાથી શૂન્ય અર્થશાસ્ત્ર માનવજાતિનાં હિતોનું રક્ષણ કરી શકતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org