________________
કિંતા ! જો કુંજર ચઢો, રતન કચોલો હાથી માંગ્યા જો મોતી મિલે તો હિ અન્ન ભિખારી જાત !
હે પતિદેવ ! આપને શું થઈ ગયું છે ? લાખપસાવ મેળવીને આપ આટલા અભિમાનમાં આવી ગયા છો. ધારો કે આપના માટે હાથી લાવી દઈએ. વાંજિત્રો મંગાવી લઈએ. હાથમાં રત્નજડિત પાત્ર આપીએ. છતાં આપનું કામ તો માગવાનું જ છે ને ! ધારો કે તમારી ખ્યાતિ જાણીને કોઈ તમને દાનમાં મોતી આપી દે. તો પણ તમે આખરે તો ભિખારી જ કહેવાશોને ! જો માગીને જ ખાવાનું હોય તો પછી જ અહંકાર કઈ વાતનો ?પત્ની પાસેથી બોધ પામીને ચારણની આંખો ખૂલી ગઈ. તે ઊભો થયો અને પોતાને ઘેર ચાલ્યો ગયો. એમ લાગે છે કે આજે માણસને ડિગ્રી શું મળી ગઈ – ખેડૂત, સુથાર અને કુંભારનાં સંતાનોમાં અકડાઈ આવી ગઈ. કિસાન વગેરે શબ્દો માત્ર પ્રતીકાત્મક છે. મૂળ વાત તો વારસાગત વ્યવસાય પ્રત્યેના હીન માનસ અને મનોભાવની છે. જ્યાં સુધી આ મનોવૃત્તિ બદલાશે નહીં ત્યાં સુધી સમસ્યા કઈ રીતે હળવી થશે? સાધર્મિક વાત્સલ્યનો પ્રયોગ
ભગવાન મહાવીર વ્યક્તિગત સાધનામાં જેટલો વિશ્વાસ કરતા હતા તેટલું જ મહત્ત્વ સામૂહિક સાધનાને પણ આપતા હતા. તેમણે દર્શનના આઠ આચાર બતાવ્યા. તેમાં આઠમો આચાર સાધર્મિક વાત્સલ્યનો છે. વ્યક્તિની આસ્થાને ધર્મમાં સ્થિર કરવી અને જે લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, જે લોકો જન્મથી ધાર્મિક નથી તેમને કર્મથી ધાર્મિક બનવવાનો પ્રયત્ન કરવો. એ સાધર્મિક વાત્સલ્યનું આધ્યાત્મિક પાસું છે. તેનું સામાજિક પાસું સાધર્મિક લોકો સાથે ભાઈચારાનો વ્યવહાર કરવાનું અને તેમનાં સુખ-દુઃખોમાં સહભાગી બનવાનું છે. આ માનવીય સંવેદનાની અભિવ્યક્તિ છે. જ્યાં સંવેદનાનો સ્રોત સુકાઈ જાય છે ત્યાં વ્યક્તિ બીજાનાં સુખ-દુઃખથી પ્રભાવિત થઈ શકતી નથી.
પ્રાચીનકાળમાં દક્ષિણ ભારતના જૈન સમાજે સામાજિક સ્તરે સાધર્મિક વાત્સલ્યનો પ્રયોગ કર્યો. શિક્ષણ, ચિકિત્સા, ભરણપોષણ અને આશ્વાસનના રૂપમાં ત્યાં ચાર પ્રકારના દાનની પરંપરા વિકસીજ્ઞાનદાન, ઔષધિદાન, અન્નદાન અને અભયદાન. સમાજમાં કોઈ વ્યક્તિ નિરક્ષર, બીમાર, ભૂખી કે ભયભીત ન રહે એ દષ્ટિએ
નવું દર્શનઃ નવો સમાજ | ૨૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org