________________
જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણને બહુમુખી બનાવવામાં આવે. શિક્ષણ દ્વારા માનવીના બૌદ્ધિક સ્તરને માત્ર નહીં, ભાવનાત્મક સ્તરને પણ ઉન્નત બનાવવામાં આવે. પરંતુ આ બંને વાતો પાર પડી નથી. એક તરફ શિક્ષણજનિત સમસ્યાઓ, બીજી તરફ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં કામ કરવાની મળેલી ખુલ્લી અનુમતિ. દિબ્રાન્ડ કરનારી વિકાસની પ્રતિસ્પર્ધી દેશના કરોડો નવજવાનો સમક્ષ નોકરી મેળવવાનો બહુ મોટો પડકાર ઊભો કરી રહી છે.
શિક્ષણના વિષયમાં ઘણા લાંબા સમયથી એક વ્યાપક ચર્ચા ચાલી રહી છે, પરંતુ ઘાણીના બળદની જેમ આગળ ગતિ થઈ શકતી નથી. જ્યાં સુધી શિક્ષણનીતિમાં અપેક્ષિત સુધારો નહીં થાય, ત્યાં સુધી યુવાપેઢીની ધારણા બદલાશે નહીં. ધારણાઓમાં પરિવર્તન આવ્યા વગર બેકારીની સમસ્યા ઉકલે તેમ લાગતું નથી. કારણ કે નોકરી કદી ઉપરથી અવતરિત થતી નથી. એ તો માત્ર વ્યાવહારિક ભૂમિકા ઉપર જ શોધી શકાય. અહંકારની સમસ્યા
ભણેલો ગણેલો એક ચારણ કવિતા રચવા લાગ્યો. તેણે રાજાને પોતાની કવિતાઓ સંભળાવી. રાજા ખુશ થયો. ચારણને મોટો સરપાવ મળ્યો. પ્રાચીનકાળમાં “લાખપસાવ' નામનો એક સરપાવ હતો. તેમાં રૂપિયા, પોશાક અને પ્રશસ્તિપત્ર વગેરે મળતું હતું. સરપાવ પામીને ચારણને અભિમાન ઉપર્યું. તે પોતાના ગામ ગયો. ગામની બહાર રોકાઈ ગયો. સંબંધીઓ અને મિત્રો તેને લેવા માટે આવ્યા. તે બોલ્યો, “મને લાખપસાવ મળ્યો છે. હું એવી રીતે ઘેર નહીં આવું. મને વાજતે ગાજતે વરઘોડા સહિત ઘેર લઈ જાવ.'
ચારણના ઘરની સ્થિતિ સારી નહોતી. પરિવારના લોકોએ તેને ખૂબ સમજાવ્યો પરંતુ તે એકનો બે ન થયો. પરિવારના સ્વજનો દુઃખી થયા. ચારણની પત્ની સાસુ-સસરાની આજ્ઞા લઈને તેને સમજાવવા ગઈ. તેણે પોતાના પતિને વધામણી આપતાં કહ્યું, “ઘેર બા-બાપુજી આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે અને આપ હજી અહીં બેઠા છો. ચાલો, ઘેર ચાલો.' ચારણે કહ્યું, “તું પણ કેવી સ્ત્રી છે ! મને લાખપસાવ મળ્યો છે. એમ કેવી રીતે આવું ?” પત્નીએ મધુર વ્યંગ્ય કરતાં કહ્યું
ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org