________________
·
34
ગરીબી અને બેકારીની સમસ્યા
વર્તમાન અર્થશાસ્ત્ર કહે છે કે સઘળા લોકો સંપન્ન અને સમૃદ્ધ બને. છલ્લાં કેટલાંક વર્ષોથી ચૂંટણીના ઢંઢેરોઓમાં ગરીબી અને બેકારી દૂર કરવાના વાયદા થાય છે. સંપન્નતા અને સમૃદ્ધિનાં આશ્વાસનો, વાયદા અને પ્રયત્નો થવા છતાં ગરીબી વધી રહી છે. બેકારોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થતી રહી છે અને જીવનયાપનની સમસ્યા ઘેરી બની રહી છે. આ સમસ્યાનું કોઈ સમાધાન છે જ નહીં શું ? સમસ્યા હોય અને તેનું કોઈ સમાધાન જ ન હોય એ વાતમાં મને શ્રદ્ધા નથી. ભલે કોઈપણ ક્ષેત્રની સમસ્યા હોય, તેનું સમાધાન અવશ્ય હશે જ. તેને શોધનાર વ્યક્તિ જોઈએ. સમાધાનની શોધ કરતાં પહેલાં સમસ્યાના સ્વરૂપ વિશે વિચાર કરવો આવશ્યક હોય છે. સ્વરૂપની સ્પષ્ટતા વગ૨ સમાધાન શેનું થશે ?
સમસ્યાના બે છેડા છે. તેના એક છેડા ઉપર ગરીબી છે અને બીજા છેડા ઉપર બેકારી છે. આપણે પ્રથમ ગરીબી વિશે વિચાર કરીએ. ગરીબીની વ્યાખ્યા શી છે ? ગરીબ કોને માનવો ? આ સંદર્ભમાં સંસ્કૃત સાહિત્યનું ચિંતન એક ઝબકારો આપે છે
Jain Educationa International
ઉપર્યુપરિ પશ્યન્તઃ સર્વ એવ દરિદ્રતિ ।
અધોડઘઃ પશ્યતઃ કસ્ય મહિમા નો ગરીયસી ॥
પોતાનાથી ઉપ૨ જોનારા તમામ લોકો રિદ્ર બની જાય છેલખપતિ કરોડપતિને જોઈને પોતાની ગરીબીનો અનુભવ કરે છે. કરોડપતિ પોતાની સામે અબજપતિને જોઈને કુંઠિત થઈ ઊઠે છે અને ખરવપતિને જોઈને અબજપતિ પોતાને ગરીબ સમજે છે. આમ આગળથી આગળ સમૃદ્ધિનું આકલન કરવામાં આવે તો પાછળના સઘળા લોકો ગરીબ પ્રમાણિત થઈ જશે. હવે જો આ ક્રમને ઊલટાવીને જોવામાં આવે, એટલે કે નીચેની તરફ જોવામાં આવે તો ગરીબી અને બેકારીની સમસ્યા ૦ ૨૧૩
For Personal and Private Use Only
www.jainelibrary.org