________________
જ્યાં ભોગવાદ ઉશૃંખલ બને છે, ત્યાં વ્યક્તિ પોતાના હિત માટે બીજાઓના હિતને કચડી નાખવામાં સંકોચ અનુભવતી નથી. મહાવીરના અર્થશાસ્ત્રમાં ઉચ્છંખલતાને કોઈ સ્થાન નથી. ઉચ્છંખલતા વૃત્તિઓની હોય કે વ્યવહારની તેનાથી સમસ્યાઓ વધે જ છે. આજે એવી સમસ્યાઓથી સમગ્ર જગત આક્રાંત છે. સમાધાનો શોધવામાં આવે છે પરંતુ તેની દિશા બરાબર નથી. ઈંધણથી આગ શાંત થતી નથી. અધિક ઉત્પાદન, અધિક અર્જન અને અધિક ભોગ થકી આકાંક્ષાઓનો સાગર તરી શકાતો નથી. આવા સંજોગોમાં સંયમનો સિદ્ધાંત જ એકમાત્ર એવી ક્ષિતિજ છે કે જ્યાંથી સમાધાનની દિશાઓ ખૂલી શકે છે.
નવું દર્શન : નવો સમાજ D ૨૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org