________________
શક્તિ વડે દેશને સ્વતંત્ર કરવાનો તેમનો સંકલ્પ સાકાર થયો. અહિંસા અને સમતાની ભાવનાથી પ્રેરાઈને જ તેમણે રંગભેદ, જાતિભેદ ને છૂતઅછૂતને સમાપ્ત કરવાના પ્રબળ પ્રયત્નો કર્યા. તેમનો પ્રયાસ સફળ ન થયો તે અલગ વાત છે, પરંતુ તેમણે જે ચિંતન આપ્યું તે તેમની સમાજવાદી અને સર્વોદયી અવધારણાઓનું જ પ્રતિબિંબ હતું. ગાંધીની સૌથી મોટી ઉપલબ્ધિ એ ગણાય કે તેમણે વ્યક્તિનિષ્ઠ અહિંસાનો સમાજ અને રાજનીતિમાં પ્રવેશ કરાવ્યો. તેઓ અહિંસા અને સત્યના પૂજારી હતા. તેથી પ્રત્યેક કાર્યની શ્રેષ્ઠતાનો માપદંડ તેને જ માનતા હતા. માર્કસનું અવદાન
કાર્લ માર્કસ જર્મનીની ધરતી ઉપર જન્મ્યા હતા. ભારતીય આધ્યાત્મિક દ્રષ્ટિકોણનો તેમને પરિચય થયો નહીં હોય. છતાં તેમના મનમાં પણ કરુણા હતી. તેમણે વિચાર્યું કે દેશમાં કરોડો લોકો ભૂખ્યા છે. તેમને પેટ ભરીને ભોજન પણ મળતું નથી. પહેરવા માટે પૂરતાં વસ્ત્રો મળતાં નથી. રહેવા માટે મકાન મળતું નથી. આવી સ્થિતિ
ક્યાં સુધી ચાલે ? થોડા ઘણા લોકો સંપત્તિથી ભરપૂર ભોગ ભોગવે અને બાકીના લોકો અભાવોના રણમાં તડપતા રહે આવી વ્યવસ્થા કોઈ પણ દેશ માટે સુખદ ગણી શકાય નહીં.
માસનું ધ્યાન ગરીબો, શ્રમિકો અને દલિતો ઉપર ગયું. તેમણે તેમના ઉદ્ધાર માટે પ્રયત્નો કર્યા. તેમનું ચિંતન એવું હતું કે લોકો સુખી હશે તો બાકીનું બધું આપમેળે બરાબર ગોઠવાઈ જશે. જો તેમની સ્થિતિ સુધારવામાં આવે તો વિષમતાની ખાઈઓ આપોઆપ દૂર થઈ જશે. તેમણે સામ્યવાદની અવધારણા રજૂ કરી. તેમના માટે અહિંસા અસ્વીકાર્ય નહોતી, પરંતુ તેઓ ગાંધીજીની જેમ અહિંસા ઉપર જ અટક્યા નહોતા. જ્યાં અહિંસાથી કામ સિદ્ધ ન થતું ત્યાં તેઓ હિંસાનો સહારો પણ લેતા. તેમણે કહ્યું કે પ્રયોજન સિદ્ધ કરવા માટે જે કોઈ સાધન સુલભ હોય તેનો ઉપયોગ કરવો જોઈએ.
આજે સોવિયેત સંઘમાં માસવાદી અવધારણા ઉપર પ્રશ્નચિહ્ન મુકાઈ ગયું છે. સોવિયેત સંઘ વેરવિખેર થઈ ગયો છે. આજે ત્યાં સામ્યવાદની પ્રાસંગિકતા સમાપ્ત થતી જોવા મળે છે. સામ્યવાદ સફળ થયો કે નહીં તે વિષય સ્વતંત્ર સમીક્ષાનો છે, પરંતુ માર્ક્સ લોકોની અંધશ્રદ્ધા તોડવાનું જે વિલક્ષણ કાર્ય કર્યું તે તેમના મૌલિક
નવું દર્શન : નવો સમાજ | ૨૦૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org