________________
L
શિલા સમાજવાદ, સામ્યવાદી
અને મૂડીવાદળamલાલાણી સમાજ માટે ધર્મ ઉપયોગી છે, પરંતુ માત્ર ધર્મના આધારે સમાજ ચાલી શકતો નથી. આ દષ્ટિએ સામાજિક જીવનમાં ધર્મશાસ્ત્રની જેમ અર્થશાસ્ત્ર ઉપર પણ નવું ચિંતન થતું રહે છે. અર્થ શાસ્ત્રના ક્ષેત્રમાં કેટલીક એવી વ્યક્તિઓ મળે છે જેમણે પ્રાસંગિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમના વિચારોએ એક નવી હલચલ જગાડી છે. તે લોકોમાં ગાંધી, માર્કસ, કીન્સ વગેરે કેટલીક વ્યક્તિઓનાં નામ ઉલ્લેખનીય છે. સમાજવાદ, સામ્યવાદ, અને મૂડીવાદના સંદર્ભમાં તેમની અવધારણાઓ ઉપર વિચાર કરી શકાય છે. ગાંધીનું દર્શન
ગાંધી અધ્યાત્મવાદી વિભૂતિ હતા. તેમણે પોતાના જીવનમાં અધ્યાત્મના અનેક પ્રયોગો કર્યા. અહિંસા પ્રત્યે તેમની ગાઢ શ્રદ્ધા હતી. તેઓ પોતાની શ્રદ્ધાને સાર્વજનિક બનાવવા ઇચ્છતા હતા. તેઓ સમગ્ર સમાજ, દેશ અને માનવજાતિના અભ્યદયની ચિંતા કરતા હતા. તેમનું ચિંતન વ્યક્તિવાદી નહીં પરંતુ સમાજોન્મુખી હતું. વિનોબાજી દ્વારા સંપ્રેષિત સર્વોદય આંદોલનનું બીજ ગાંધીના મનની ધરતી ઉપર અકુરિત થઈ ચૂક્યું હતું. તેમને તેમાં કામ કરવાની તક મળી નહોતી. જો તેઓ કેટલાંક વર્ષ વધુ જીવ્યા હોત તો દેશની પ્રથમ પંક્તિમાં ઊભેલા લોકોથી માંડીને અંતિમ પંક્તિમાં ઊભેલા લોકો સુધી સૌને એક નવી દષ્ટિ આપી શક્યા હોત.
ભારત પરતંત્ર હતો. આઝાદીની લડાઈ ચાલુ હતી. લોકોના મનમાં વિગ્રહોની આગ ભભૂકતી હતી. તેઓ કોઈ પણ ક્ષણે હિંસક વિસ્ફોટ કરે તેમ હતું. પરંતુ તેમના નેતા ગાંધીજી અહિંસાવાદી હતા. સાધનશુદ્ધિ ઉપર તેમનું સંપૂર્ણ ધ્યાન હતું. તેમણે હિંસાના બળે પ્રાપ્ત થનારી આઝાદીને પોતાની સ્વીકૃતિ આપી નહોતી. અહિંસાની
સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૦૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org