________________
ચિંતનની ઘણી મોટી ભેટ છે. શરૂઆતમાં લોકોનો એવો વિશ્વાસ હતો કે અમીરી અને ગરીબી વ્યક્તિનાં પોતાનાં કર્મોનું ફળ છે. તે માટે કોઈને દોષી ઠરાવવું વાજબી નથી. માર્સે કર્મના સિંહાસન ઉપર પુરુષાર્થને પ્રતિષ્ઠિત કર્યો.
પુરુષાર્થ દ્વારા કર્મને પણ બદલી શકાય છે. આ સિદ્ધાંતના આધારે સોવિયેત સંઘમાં એક ક્રાંતિનો સૂત્રપાત થયો. કિન્સની અવધારણા
કીન્સ મૂડીવાદી વિચારધારામાં માનનારા હતા. તેઓ દેશને સમૃદ્ધ બનાવવાના હિમાયતી હતા. વર્ગસંઘર્ષને તેમણે સ્વીકૃતિ આપી નહોતી. તેમનું ચિંતન એવું હતું કે તમામ લોકો સમૃદ્ધ ન બની શકે તો જેટલા બની શકે તેમને સમૃદ્ધિના શિખર ઉપર પહોંચાડી દેવા જોઈએ. દેશમાં સંપન્નતા વધવી જોઈએ. તે માટે નૈતિકતા-અનૈતિકતા જેવી વાતોમાં અટવાઈ જવાનું ઉચિત નથી. લોકો ભૂખ્યા હોય તો શું નૈતિકતાથી પેટ ભરી શકાય ખરું ? દેશ સમૃદ્ધ હશે, લોકો નિશ્ચિત રહેશે તો નૈતિક મૂલ્યોની ચચનેિ ખાસ્સો અવકાશ મળશે. મહાવીરનું આકર્ષણ શા માટે?
ગાંધી, માર્ક્સ અને કીન્સ પછી આપણે મહાવીરને આપણી ચર્ચાનો વિષય બનાવીએ. મહાવીરનું ચિંતન નિતાંત અધ્યાત્મવાદી હતું. આપણે તેમના દ્વારા બતાવવામાં આવેલા માર્ગે ચાલીએ છીએ. તેઓ આપણા આરાધ્ય છે. આપણે માટે તેઓ જ સર્વસ્વ છે. તેમના સિવાય આપણો કોઈ આધાર નથી. આ વાત આપણે માત્ર શ્રદ્ધાના બળે નથી કહેતા. આચાર્ય હેમચંદ્રે તેમની સ્તુતિ કરતાં લખ્યું છેઃ
ન શ્રદ્ધચૈવત્વયિ પક્ષપાતો, ન ષમાત્રાદરુચિઃ પરેષા યથાવદાપ્તત્વપરીક્ષયા તુ, ત્વમેવ વીર ! પ્રભુમાશ્રિતાઃ સ્મઃ |
પ્રભુ મહાવીર ! આપના પ્રત્યે અમારી અખૂટ શ્રદ્ધા છે, ધર્માનુરાગ છે તેથી અમે આપને માનીએ છીએ અને આપના ચિંતનને મહત્ત્વ આપીએ છીએ એવી વાત નથી. અન્ય દાર્શનિકો અથવા ધર્મપ્રવર્તકો તરફ અમારા મનમાં કોઈ દ્વેષભાવના છે, એ કારણે તેમનામાં અમને રુચિ નથી કે આસ્થા નથી એ વાત પણ સાચી નથી. પ્રભુ ! અમે આપની પરીક્ષા કરી છે. આપની આપ્તતાને
સમાજવાદ, સામ્યવાદ અને મૂડીવાદ ૦ ૨૦૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org