________________
ક્રોધ, માન, માયા, અને લોભ આ ચતુષ્પદીનો વાચક છે કષાય શબ્દ. સંસારમાં પરિભ્રમણશીલ પ્રત્યેક પ્રાણી આ ચતુષ્પદી સાથે જકડાયેલું છે. પ્રમાણમાં તફાવત જરૂ૨ છે. કોઈ વ્યક્તિને તીવ્ર ગુસ્સો આવે છે અને તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. તો કોઈ વ્યક્તિને ખૂબ ઓછો ગુસ્સો આવે છે. આ જ વાત માન, માયા અને લોભ વિશે પણ કહી શકાય.
નોકષાય એટલે કષાયનો અભાવ નહીં, કષાયને ઉત્તેજિત કરનારી વૃત્તિઓ. નોકષાયના નવ પ્રકાર છે. હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ. આ વૃત્તિઓ કષાયની સાથે પેદા થાય છે અને તેની સાથે જ સંવેદિત પણ થાય છે કષાય અને નોકષાયનો સંબંધ મોહનીય કર્મ સાથે છે. જ્યાં સુધી મોહનીય કર્મનો ક્ષય નથી થતો ત્યાં સુધી માનવી એકાંતિક સુખનો અનુભવ કરી શકતો નથી.
મુસલમાન સારો નથી
જ્યોર્જ બર્નાર્ડ શો એક મોટી સભાને સંબોધિત કરતા હતા. એવામાં તેમણે ઇસ્લામ ધર્મની મુક્તકંઠે પ્રશંસા કરી. તેમનું ભાષણ સમાપ્ત થયું. એક વ્યક્તિ તેમની નજીક જઈને બોલી, “શો, એમ લાગે છે આપ હવે તરત જ ઈસ્લામ ધર્મ સ્વીકારી લેશો.' બર્નાર્ડ શોએ પૂછ્યું, ‘કેમ ભાઈ ! તને આવી વાત કોણે કરી ?” પ્રશ્નકર્તાએ કહ્યું, ‘કહ્યું તો કોઈએ નથી. પરંતુ આપે ઈસ્લામ ધર્મની આટલી બધી વિશેષતાઓ જણાવી તેથી મને એમ લાગ્યું.’ બર્નાર્ડ શોએ તે ભાઈની જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું, “તારી વાત ઠીક છે. ઈસ્લામ ધર્મ ખૂબ સરસ છે. હું એનો સ્વીકાર કરી લેત . પરંતુ મારી એક મુશ્કેલી છે. ધર્મ તો સારો છે પરંતુ મુસલમાન સારો નથી.’
ધર્મ અને મજહબ બે અલગ તત્ત્વો છે. ધર્મ હંમેશાં સારો જ હોય છે. બૂરાઈ મજહબોમાં આવે છે. પ્રત્યેક ધર્મના સિદ્ધાંતો મહાન હોય છે, પરંતુ માનવી તેનું પ્રામાણિક પાલન કરતો નથી. જ્યાં સુધી ધર્મ આત્મસાત્ થઈ શકતો નથી, ત્યાં સુધી માનવી સારો બની શકતો નથી. બધું જ બરાબર હોવા છતાં જો માનવી બરાબર ન હોય તો કોઈ જ કામ બરાબર ચાલતું નથી. તેથી સૌપ્રથમ માનવીને બરાબર કરવાની જરૂર છે, તેની વૃત્તિઓને બદલવાની જરૂર છે, કષાય અને નોકષાયને ઘટાડવાની જરૂર છે.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર
૨૦૩
For Personal and Private Use Only
www.jainelibrary.org