________________
lી
| મહાવીરનું અર્થશાસ્ત્ર
.
ક
કક
જ
માનવજાતિને ત્રણ શ્રેણીઓમાં વિભક્ત કરી શકાય છેભવિષ્યદર્શી, વર્તમાનદર્શી અને વિગતદર્શી. અતીતને જોવો, તેના વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી. પોતાની ગતિવિધિ કે કાર્યશિલીને વળાંક આપવા માટે અતીતની સમીક્ષા ઉપયોગી બની શકે છે. પરંતુ અતીત વિશે અધિક ચિંતન કરવાથી કોઈ ઉપલબ્ધિ મળી જતી હોય તેમ લાગતું નથી.
પગની સામે તો સૌ કોઈ જોઈ શકે છે. જે વ્યક્તિમાં ચિંતનની ક્ષમતા હોય કે ન હોય તે વ્યક્તિ પણ વર્તમાનમાં ઘટિત ઘટનાઓ ઉપર દષ્ટિપાત સ્વાભાવિક રીતે જ કરી શકે છે. માનવીની જ શી વાત, એક પશુ પણ વર્તમાનજીવી હોઈ શકે છે. ખાણીપીણી, સુરક્ષા, બચાવ વગેરે તેનાં તમામ કાર્યો તાત્કાલિક અપેક્ષાઓ અને પરિસ્થિતિઓના આધારે થાય છે.
ચિંતનશીલ તો એ કહેવાય છે કે જે ભવિષ્યને જુએ છે. સો-પચાસ વર્ષની વાત વિચાર્યા વગર કોઈપણ વ્યક્તિ કોઈ મોટી યોજનાનો આરંભ ન કરી શકે. દીર્ઘ પશ્યત મા હર્પ, પરં પશ્યત માપરમદીર્ઘકાળને જુઓ અલ્પકાળને શું જોવાનો ? ઉત્કૃષ્ટને જુઓ, સાધારણને શું જોવાનું ? ઉપનિષદોની આ વાણી માનવીને આગળની વાત વિચારવાની પ્રેરણા આપે છે. કષાય અને નોકષાય શું છે?
આ સંસારમાં જેટલા અર્થશાસ્ત્રીઓ થયા, જે જે લોકોએ નવી અર્થનીતિઓ આપી તે સૌએ કદાચ દૂરગામી ચિંતનને ક્રિયાન્વિત કરવાની ચેષ્ટા કરી છે. સમાજસુધાર કે માનવીને સુખી બનાવવાની અભિપ્રેરણાથી કરવામાં આવેલા પ્રયત્નોનું સ્વાગત પણ થાય છે. પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે જ્યાં સુધી માનવીની ભીતરમાં કષાય અને નોકષાય રહેશે ત્યાંસુધી તે સુખી નહીં બની શકે. કષાય અને નોકષાય જેનદર્શનના પારિભાષિક શબ્દો છે.
નવું દર્શન ઃ નવો સમાજ [ ૨૦૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org