________________
સાચા અર્થમાં નવી સદી કે નવા યુગનો પ્રવેશ સાર્થક થઈ શકે છે.
નવા યુગ સાથે મારો મત કોમ્યુટર કે રોબોટના યુગનો નથી. કોમ્યુટર કે રોબોટની ઉપયોગિતા હોઈ શકે છે, પરંતુ તે માનવીની ઉપયોગિતા ઉપર પ્રશ્નાર્થ ચિલ મૂકી દે છે. તેથી આગામી યુગને અહિંસા, અણુવ્રત કે પ્રેક્ષાધ્યાનનો યુગ બનાવી શકાય તો માનવીની જીવનશૈલી અને કાર્યશૈલી સ્વાભાવિક રીતે પરિવર્તન પામશે. આ યુગમાં માનવીની મહત્તા સત્તા, સંપદા અને શક્તિના આધારે નહીં ગણાય. તે યુગમાં જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ અને સંપ્રદાયવાદના ઘેરામાં માનવી વિભક્ત નહીં બને. માત્ર માનવતાના આધારે જ માનવીનું મૂલ્યાંકન કરનાર યુગ જ વાસ્તવમાં નવાં યુગની પ્રતિષ્ઠાને સ્થાપિત કરી શકશે.
એકવીસમી સદીનો માનવી કેવો હશે? - ૨૦૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org