________________
એક વ્યક્તિ અણુવ્રતી બનવા ઇચ્છતી હતી. તેના માર્ગમાં એક અવરોધ હતો. તેને નશો કરવાનું વ્યસન હતું. નશામુક્ત થયા વગર અણુવ્રતની આચારસંહિતમાં પોતાને સ્થિર કરવાનું શક્ય નહોતું. । તેણે પ્રેક્ષાધ્યાન શિબિરમાં ભાગ લીધો. બે-ચાર દિવસોની તકલીફ પછી તેની આદત છૂટી ગઈ. તેણે માદક અને નશીલા પદાર્થોથી છૂટકારો મેળવીને જીવનમાં નવી તાજગીનો અનુભવ કર્યો.
સત્યની શોધ ચાલુ છે
આચાર્ય
પાસે
ભિક્ષુ આવીને કેટલાક લોકો બોલ્યા, સ્વામીજી ! આપની સાધના સરસ છે. આપ ખૂબ મહાન સાધુ છો. પરંતુ આ વસુધા રત્નગર્ભા છે. આ ધરતી ઉપર આપના કરતાં મહાન અને શ્રેષ્ઠ સાધુ હોય તો આપ તેની સાથે કેવો વ્યવહાર કરશો ?’ આ વાત સાંભળીને આચાર્ય ભિક્ષુએ કહ્યું, “ભાઈ ! આ તો તેં બહુ સારી વાત કરી. હું તો એવી વ્યક્તિઓની શોધમાં છું. જો તેઓ સાધુ અવસ્થામાં મારાથી મોટા હશે તો હું તેમનાં ચરણોમાં પ્રણામ કરીશ. અને નાના હશે તો તેમને ભેટી પડીશ.'
આચાર્ય ભિક્ષુનો આ ઉદાર દૃષ્ટિકોણ અમને વા૨સામાં મળ્યો છે. અમે અણુવ્રત, પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનને માનવહિતની દૃષ્ટિએ પ્રસારિત કરી રહ્યા છીએ. પરંતુ અમારો એવો આગ્રહ નથી કે આ કાર્યક્રમ જ સર્વસ્વ છે. એનાથી સારો કોઈ પણ માર્ગ મળે તો તેનો સ્વીકાર કરવામાં અમને કોઈ મુશ્કેલી નથી. અમારા ચિંતનમાં ક્યાંય સ્થગિતતા નથી. અમે તો શોધ કરનારા છીએ. સત્યની શોધમાં આગળ વધી રહ્યા છીએ. ક્યાંય પણ સત્યનું કોઈ કિરણ દેખાય તો તેનો સ્વીકાર કરવામાં સંકોચ નથી રાખતા. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન વગેરે પણ સંપૂર્ણ સત્ય નથી. તે બધાના યોગથી કોઈ ને સત્યનો થોડોઘણો પ્રકાશ પણ મળી શકે તો અમને પ્રસન્નતા થશે. બે અતિની વચ્ચે
આપણે વીસમી શતાબ્દીના અંતિમ દશકામાં જીવી રહ્યાં છીએ. સત્યનો રથ ઝડપથી આગળ વધી રહ્યો છે. એકવીસમી શતાબ્દીનો પગરવ સંભળાઈ રહ્યો છે. આ સદીમાં માનવીનો પ્રવેશ કેવી રીતે થાય ? આ વિશે કેટલાક લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે. કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, રોબોટ, અને સુપર રોબોટ જેવા એકવીસમી સદીનો માનવી કેવો હશે ? – ૧૯૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org