SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આપતા નહોતા. આખરે અણુવ્રતના પરિપ્રેક્ષમાં વિચાર કરતી વખતે અમારો દૃષ્ટિકોણ વ્યાપક બન્યો. અમે ચિંતન કર્યું કે બૂરાઈ કોઈ પણ ક્ષેત્રમાં હોય તો તેનો પ્રતિકાર ધર્મના કાર્યક્ષેત્રમાં આવી શકે છે. આ ચિંતનની ક્રિયાન્વિતીના ફળસ્વરૂપે અમે સામાજિક, રાજનૈતિક, શૈક્ષણિક ધાર્મિક વગેરે તમામ ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. અણુવ્રતને કારણે અમે લાંબી લાંબી યાત્રાઓ કરી. યાત્રાઓમાં વ્યાપક જનસંપર્ક થયો. દેશના પ્રબુદ્ધ અને ચિંતનશીલ લોકો અમને મળ્યા. તેમની સાથે અનેક વિષયો ઉપર વિચાર-વિમર્શ થયો. કેટલાક લોકોનાં સૂચનો પણ અમારા માટે અત્યંત ઉપયોગી નીવડ્યાં. અણવત વિશે સાહિત્ય લખવામાં આવ્યું. અણુવ્રત શિક્ષક-સંસદના માધ્યમથી શિક્ષણજગતમાં અણુવ્રતનો સ્વર અધિક મુખર થઈ ઊઠ્યો છે. આજે તો સ્થિતિ એવી બની ગઈ છે કે અણુવ્રત અમારી ઓળખનું પ્રખર માધ્યમ બની ચૂક્યું છે. અણુવ્રતના નામથી લોકો મને ઓળખે છે અને મારા નામથી અણુવ્રતને ઓળખે છે. વ્યક્તિ અને કાર્યક્રમમાં આટલું તાદામ્ય ત્યાં જ હોઈ શકે છે જ્યાં કોઈ સારું પરિણામ સામે આવે છે. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન અણુવ્રત રાષ્ટ્રીય ચારિત્રને ઉન્નત બનાવનારું આંદોલન છે. વ્યક્તિ સુધારણા તેની ભિત્તિ છે. વ્યક્તિ વ્યક્તિનું ચરિત્ર સમુન્નત બનશે તો રાષ્ટ્રીય ચરિત્ર-નિર્માણ માટે વિશેષ કાંઈ કરવાનું રહેશે. નહીં. એક અસાંપ્રદાયિક કાર્યક્રમ તરીકે અણુવ્રતે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે કોઈ પણ નૈતિક આંદોલનને ભાગ્યે જ મળી હશે. જ્યારથી તેની સાથે પ્રેક્ષાધ્યાનનો યોગ થયો છે ત્યારથી અણુવ્રતની શક્તિ વધી ગઈ છે. પ્રેક્ષાધ્યાન વગર અણુવ્રત અધૂરું છે અને અણુવ્રત વગર પ્રેક્ષાધ્યાનની ભૂમિકા નક્કર બની શકતી નથી. આ દૃષ્ટિએ આ બંને એકબીજાના પૂરક છે. કોઈ વ્યક્તિ અણુવ્રતી બને છે તો તેને માટે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કરવાનું આવશ્યક બને છે. ધ્યાનના અભ્યાસથી તે અણુવ્રતની આચારસંહિતાને સરળતાથી આત્મસાત્, કરી શકે છે. આ રીતે એક પ્રેક્ષાધ્યાની માટે અણુવતી બનવાનું આવશ્યક છે. કારણ કે નૈતિક ભૂમિકા વગર આધ્યાત્મિક ઉપલબ્ધિઓની વાત માત્ર વિડંબના જ બની રહે છે. નવું દર્શન : નવો સમાજ ! ૧૯૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy